1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું, કેપ્ટનનું થયું મોત
ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું, કેપ્ટનનું થયું મોત

ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું, કેપ્ટનનું થયું મોત

0
Social Share
  • ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
  • મિગ 21 વિમાન બન્યું દુર્ઘટનાગ્રસ્ત
  • દુર્ઘટનામાં કેપ્ટનનું નિપજ્યું મોત

નવી દિલ્લી: ભારતીય વાયુસેનાનું મિગ – 21 બાઇસન વિમાન આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.આ વિમાન સેન્ટ્રલ ઇન્ડિયાના એક એરબેઝ પર કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે રવાના થયા સમયે એક ધાતક દુર્ઘટનાનું શિકાર બન્યું હતું.દુર્ઘટનામાં કેપ્ટનનું મોત નિપજ્યું હતું.ભારતીય વાયુસેના જણાવ્યા મુજબ, દુર્ઘટનાના કારણની શોધખોળ ચાલી રહી છે.

આ એરક્રાફ્ટ દુર્ઘટના બાદ કોર્ટ ઓફ ઇન્કવાયરીને આદેશ આપવામાં આવ્યા છે.વાયુસેના તરફથી કહેવવામાં આવ્યું છે કે,આ ગ્રુપ કેપ્ટનના પરિવાર સાથે છે. તકનીકી ખરાબીના કારણે પ્રશિક્ષણ દરમિયાન રાજસ્થાનના સુરતગઢ પાસે આઈએએફના મિગ -21 ફાઈટર જેટ ક્રેશ થયાના બે મહિના બાદ આ ઘટના બની છે.તે દુર્ધટનામાં પાયલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઇકે સંસદમાં કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાએ 2016 બાદથી દુર્ધટનાઓમાં 15 લડાકુ જેટ અને હેલિકોપ્ટર સહીત 27 વિમાન ગુમાવ્યા છે. 2016 – 17 માં છ ફાઇટર જેટ, બે હેલિકોપ્ટર,એક પરિવહન વિમાન અને એક ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.તો 2017 – 18 માં વાયુ સેના એ બે ફાઇટર એરક્રાફ્ટ અને એક ટ્રેનર એરક્રાફ્ટને દુર્ઘટનામાં ગુમાવી દીધું હતું. 2018-19 માં ભારતીય વાયુસેનાના વધુ સાત ફાઇટર જેટ, બે હેલિકોપ્ટર અને બે ટ્રેનર એરક્રાફ્ટને એક્સિડન્ટમાં ગુમાવ્યા હતા.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code