ગરમીમાં તમને પણ ‘ઉનવા’ની સમસ્યા હોય તો જોઈલો તેના માટેના કેટલાક ઉપચાર, ઉનવામાં મળશે રાહત
- લીમડાનો રસ પેટની ગરમી દૂર કરે છે
- પેટની કે પેશાબમાં થતી બળતરામાં છંડા દૂધ સાથે પાણી પીવો
આમતો સદીઓથી લીમડાને ઔષધિ વૃક્ષ કહેવાયું છે, લીમડાના રસ,પાન,ઝાડ,ફૂલ અને ફળ દરેક વસ્તુ ઓષધિદુણોથી ભરપુર છે, પરંતુ ખાસ ગરમીની સિઝનમાં લીમડાના ગુણનો આપણે બમણો ફાયદો લઈ શકીએ છીએ, તો તમે વિચારતા હશો કઈ રીતે તો ચાલો જાણીએ કઈ કઈ રીતે લીમાનો ઉપયોગ ગરમીમાં આરામ આપે છે.
દરરોજ રાત્રે 10 થી 12 નંગ લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરો, જેનાથી પેટની અને યુરીનમાં થતી બળતરા દૂર થાય છે.
આમળા ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપુર છે. આમળાનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ માટે અને ત્રિફળા ચૂર્ણ બનાવવામાં થાય છે. આમળાનો ખાટો સ્વભાવ મૂત્ર સાથે જોડાયેલા અનેક રોગોમાં ઉપયોગી છે. એક ચમચી આમળાના ચૂર્ણમાં બે થી 3 ઈલાયચીના દાણા વાટીને ભેળવી દીધા બાદ પાણી સાથે પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે
જે લોકોને ઉનવા ( એટસે કે પેશામમાં બળતરા થવી, અને પેશાબ અટકીને આવવો) આવી સમસ્યા થતી હોય છે તેમણે લીમડાના પાનની પેસ્ટ બનાવી તેને પાણી સાથે અથવા મધ સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ જેનાથી આ સમસ્યા દૂર થાય છે.ઉનવા ખાસ કરીને બેક્ટેરિયાના સંક્રમણથી, ઓછુ પાણી પીવાથી, વધારે તડકો લાગવાથી જેવા કારણોસર થાય છે.
આ સાથે જ નારીયેળ પાણી પેટ અને પેશાબના રોગો માટે ખુબ જ ગુણકારી છે, જયારે પેશાબમાં સંક્રમણ કે કોઈ તકલીફ થાય ત્યારે નારિયેળ પાણી ઔષધીય દવા તરીકે ઉપયોગી છે. નારિયેળ પાણી પીવાથી મુત્રત્યાગ સમયે થનારી બળતરામાં તે રાહત અપાવે છે. તે પેટને ઠંડા કરવાનું પણ કાર્ય કરે છે. સાથે પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
આ સહીત ઠંડા દૂધમાં માટલાનું પાણી મિક્સ કરીને તેને પીવાથી પેશાબ સરળતાથઈ આવે છે અને તેમાં થતી બળતરા પણ દૂર થાય છે.