1. Home
  2. ગુજરાતી
  3. અઝાન વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય- હવેથી લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી
અઝાન વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય- હવેથી લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી

અઝાન વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય- હવેથી લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી

0
Social Share
  • મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર માટે લેવી પડશે મંજૂરી
  • અઝાન વિવાદ વચ્ચે મરારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

મુંબઈઃ- દેશના કેટલાક રાજ્યોમાં અઝાનના લાઉડ સ્પીકરને લઈને વિવાદ સર્જોયો છે ત્યારે આ સમગ્ર વિવાદની સ્થિતિને મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે, જે પ્રમાણે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી રહેશે.

આ મામલે મહારાષ્ટ્રના ગૃહ વિભાગે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે સતત રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી રહ્યા હતા.તેવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય આવ્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે પોલીસ મહાનિર્દેશક સાથે ખાસ બેઠક યોજી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તમામ પોલીસ કમિશનરો અને અધિકારીઓને નવા નિર્ણયથી વાકેફ કરવાનો તેઓએ નિર્દેશ આપ્યો છે. નાસિક પોલીસ કમિશ્નરે લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી માગતા આદેશો જારી કર્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રના ડીજીપીને પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક કરવા માટે કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં ગુડી પડવા રેલી દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર 3 મે સુધીમાં આ લાઉડસ્પીકરો દૂર નહીં કરે તો તેમની પાર્ટી મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા ચલાવશે. રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપતાં તેમણે કહ્યું કે, ‘હું જોઈશ કે 3 મે પછી શું કરવું’.આવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્ર સરકારે લાઉડ સ્પીકર લગાવતા પહેલા સરકારની મંજૂરી લેવાનું અનિવાર્ય કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code