1. Home
  2. ગુજરાતી
  3. બસ્તર: ધ નક્સલ સ્ટોરીમાં પુત્રને બચાવવા માટે એક માતા હાથમાં હથિયાર ઉઠાવે છે
બસ્તર: ધ નક્સલ સ્ટોરીમાં પુત્રને બચાવવા માટે એક માતા હાથમાં હથિયાર ઉઠાવે છે

બસ્તર: ધ નક્સલ સ્ટોરીમાં પુત્રને બચાવવા માટે એક માતા હાથમાં હથિયાર ઉઠાવે છે

0
Social Share

અભિનેત્રી અદા શર્માને ‘ધ કેરલ સ્ટોરી’ના કારણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતા પછી નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા તેમની આગલી ફિલ્મ ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ માટે ફરીથી હાથ મિલાવ્યા છે. દર્શકોને આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એવામાં ડાઈરેક્ટરે ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’નું બીજુ ટીઝર રિલીઝ કરી દીધુ છે. ફિલ્મના ટિઝરમાં બસ્તરની સ્ટોરી બતાવી છે, કે કંઈ રીતે બધા પરિવારના બાળકોને ઉઠાવીને નક્સલી બનાવવામાં આવે છે અને પછી પોતાના પુત્રને બચાવવા માટે એક માતા હથિયાર ઉઠાવે છે.

વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અદા શર્માની ફિલ્મ ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ની ફેંન્સમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે નિર્માતા ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરીને ફેન્સને વધારે ઉત્સાહિત કરી દીધા છે. ફિલ્મના ટીઝરને દર્શકોનો સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મ 15 માર્ચ, 2024 સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.

સનશાઈન પિક્ચર્સે ફિલ્મનું બીજું ટીઝર જારી કરી અને લખ્યું છે કે, ‘બસ્તરની કઠોર વાસ્તવિકતા માટે તમારે ખુદને તૈયાર કરો, જ્યાં એક મહિલાના સંઘર્ષને ખૂનના લાલ રંગમાં સ્પષ્ટ રૂપથી ચિત્રિત કરવામાં આવે છે. એ માત્ર એક માતા કે પત્ની નથી, તે એક અથાક યોદ્ધા છે અને તેના રસ્તાને પાર કરવાનો મટલબ છે અડગ ક્રૂરતાનો સામનો કરવો. એક મહિલાની મુશ્કેલ અને મુશ્કેલ સફરને હાઇલાઇટ કરતા ટીઝર માટે તૈયાર થઇ જાઓ.

ફિલ્મમાં અદા શર્મા નીરજા માધવનની ભૂમિકામાં નઝર આવશે. સનશાઈન પિક્ચર્સના બેનર તલે આશિન એ.શાહ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ શરૂઆતમાં 5 એપ્રિલ, 2024એ રિલીઝ થવાની હતી. હવે 15 માર્ચ, 2024એ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code