પાલિતાણા પંથકમાં તરખાટ મચાવતો દીપડો અંતે પાંજરે પુરાયો
ભાવનગરઃ પાલીતાણા તાલુકાના વાડી વિસ્તારનાં ગામોમાં છેલ્લા ઘણા સમયથી જંગલી પશુઓનો ત્રાસ વધ્યો છે અને તેનાથી ગ્રામવાસીઓ તથા ખેડૂતો ખૂબ જ પરેશાન છે. ત્યારે તાલુકાના પાંડેરિયા ગામથી વન વિભાગ દ્વારા એક દીપડાને પકડવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ દીપડા અંગે ગ્રામ્યજનોની ફરિયાદ ઉઠતી હતી. જેના લીધે વન વિભાગ દ્વારા ટ્રેપ મૂકીને દીપડો પકડવામાં આવ્યો હતો. દીપડાની ઉંમર અંદાજે 3 વર્ષની કહેવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં જ ભંડારીયા ગામેથી 3 દિપડા ઝડપાયા હતા ત્યારે આજે પાછો પાંડેરિયા ગામેથી વધુ એક દીપડાને વનવિભાગે ઝડપી લીધો છે.
પાલિતાણા તાલુકાના વાડી વિસ્તારમાં ઘણા સમયથી દીપડાંનો ત્રાસ વધ્યો હતો. એટલે લોકો પોતાના ખેતરે કે વાડીએ જવામાં ડર અનુભવતા હતા. આ અગે વન વિભાગને પણ ગ્રામજનોએ ફરિયાદ કરીને દીપડાંને પકડવાની માગ કરી હતી. ત્યારે તાલુકાના પાંડેરિયા ગામથી વન વિભાગ દ્વારા એક દીપડાને પકડવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ દીપડા અંગે ગ્રામ્યજનોની ફરિયાદ ઉઠતી હતી. જેના લીધે વન વિભાગ દ્વારા ટ્રેપ મૂકીને દીપડો પકડવામાં આવ્યો હતો. દીપડાની ઉંમર અંદાજે 3 વર્ષની કહેવામાં આવી રહી છે. વન વિભાગના એક અધિકારીના કહેવા મુજબ રાત્રે બે વાગે વનવિભાગ ના RFO અર્પિત બારૈયા , ચાવડા તથા પાંડેરિયાના ગ્રામજનોએ મળી આ દીપડાને ઝડપી પાડી પિંજરે પૂર્યો હતો. આ પંથકમાં દીપડાની હાજરી નાં લીધે ગામલોકોને પોતાના જીવ ની અને ઢોર ઢાંખરની પણ ચિંતા રહે છે. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા અને પાલીતાણાનાં જંગલ વિસ્તાર અને દરિયા કિનારે પણ દીપડાની વસ્તી છે.