ઉનાળાની બપોરે તમારા આહારમાં દહીં સહીત આટલી વસ્તુઓનો કરો સમાવેશ, પેટમાં પહોંચશે ઠંડક
- દંહીનુ સેવન ગરમીમાં આપે છે રાહત
- દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે
હાલ ભરગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ખાસ બપોરના ભોજન પર ધ્યાન આપવું જોઈએ ઉનાળાની બપોરે તીખો તમતમતો, તળેલો કે આથેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જો તમારે ગરમીમા કમારી હેલ્થને સારી રાખવી હોય ચો ઠંડો ખોરાક એટલે કે જેની તાસિર ઠછંડી છે તેવો ખોરાક ખાવાનું રપાખો, તો ચાલો જાણીએ ઉનાળાની બપોરે કેવો ખોરાક ખાવો જોઈએં
દહીં-છાસ
ગરમીમાં દહીં અને છાશ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે, દરરોજ એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.દહીંના સેવનથી ઈમ્નયૂનિટી તો વધે જ છે, સાથે સાથે પેટમાં છંડક પહોંચે છએ,આ સાથે જ આરોગ્યલક્ષી બિમારીઓ દુર થાય છે.જો કે દહીંમાં કેટલીક ચોક્કસ ગુણકારી વસ્તુઓ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી આ લાભ બેગણો થઈ જાય છે જેમ કે જીરું, સંચળ નાખીને દંહી ખાવાથી પેટની સમસ્યા થતી નથી
નરમ ભાત
જો તમે ઈચ્છો તો ઉનાળાની હપોરે રોટલી ખાવાનું ટાળી શકો છો તેના બદલે તમે વધારે પાણીમાં બનાવેલો થોડો ભાત અને તેની સાથે દહીંનું સેવન કરી શકો છો જે તમારા પેટને અક્રમાણથી બચાવે છએ અને હળવો ખોરાક હોવાથી બપોરે આળશ આવશે નહી.
કાચી કેરી
કાચી કેરીની તાસિર ઠંડી છે ઉનાળાની બપોરે ખોરાક સાથે કાચી કેરી ખાવલાનું રપાખો જો તમે ઈચ્છો તો કાચી કેરીનું ષશરબત આમકા પન્ના ઘરે બનાવીને ખોરાકમાં તેનું સેવન કરી શકો છો જે પેટને ઠંડક પહોંચાડે છે.
ફૂદીનો, કોકડી,ડુંગળી
ઉનાળામાં તમારા ભોજનમાં ફૂદાનાનો ઉપયોગ કરો જે પેટની દરેક સમસ્યામાં રાહત આપે છએ જો તમે ઈચ્છો ચો ફૂદીનાનું શરબત બનાવીને પી શકો છો આ સહીત સલાડમાં કાચી ડુંગળી ખાવાની રાખો જે લૂથી બચાવાનો ગુણ ઘરાવે છે.કાચી કેરી,ડુંગળી પિત્તનાશક અને કફ નિવારક ગણાય છે. ડુંગળીના ઉપયોગથી ગરમીમાં લૂ લાગવાનો ડર રહેતો નથી.કાકડી, તરબૂચ, સક્કરટેટી, મોસંબી, નારંગી, શેરડીનો રસ અને કેરીનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો.