ભારતે ફરી નિભાવી પાડોશીની ફરજ, નેપાળના 18 નાગરિકોને ઈઝરાયલથી વતન લાવવામાં કરી મદદ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અનેક નાગરિકો અને સેનિકોના મોત થયા છે આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશઓના લોકો અહી ફસાયા છે ભારતે ઓપરેશન અજય હેઠળ અનેક ભારતીયોને વતન વાપસી કરાવી છે ત્યારે હવે ભારતે ફરી એક વખડ પાડોશીની ફરજ નિભાવી છે અને ભારતે નેપાળને મદદ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે એક ભારતીય વિમાન 18 નેપાળી યાત્રીઓ સહિત કુલ 286 લોકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. ઈઝરાયેલથી અત્યાર સુધીમાં 1000થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.ઓપરેશન એજય હેઠળ નેપાળના નાગરિકોને પણ પરત લાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલમાં ફસાયેલા 18 નેપાળી નાગરિકોને લઇને એક ભારતીય વિમાન મંગળવારે નવી દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. આ પ્લેનમાં નેપાળી નાગરિકો સહિત કુલ 286 મુસાફરો હાજર હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતે પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે ઇઝરાયેલ લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય હેઠળ પાંચમી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. વઘુમાં તેમણે માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવતા મુસાફરોના ફોટો પણ શેર કર્યા હતા. કે