આજે ભારતીય નૌસેના દિવસઃ જાણો શા માટે 4 ડિસેમ્બરે ઉજવાય છે,જાણો તેનો ઈતિહાસ
- આજે ભારતીય નૌસેના દિવસ
- જાણો આજના દિવસ વિશેનું મહત્વ
દિલ્હીઃ- ભારતની સરકાર દેશની ત્રણયે સેનાઓ એ વધુને મધુ મજબુત બનાવાની દિશામાં કામ કરી રહી છે જો નૌસેનાની વાત કરવામાં આને તો હવે સ્વેદેશી વિમાન વાહક જહાજો પણ ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છે દેશની નૌસેના અનેક ટેકનોલોજી સાથે આગળ વિકસી રહી છે ત્યારે દેશભરમાં આજનો દિવસ એટલે કે 4 ડિસેમ્બરને ઈન્ડિયન નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ આ દિવસનો ઈતિહાસ કે શા માટે આજના દિવસને નેવી ડે તરીકે ઉજવાય છે.
નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌ સેનાના જાંબાઝોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાના જીતના જશ્નના રૂપમાં ઉજવવામાં આવે છે.
વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત મેળવનાર ભારતીય નૌકાદળની તાકાત અને બહાદુરીની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ ‘ઓપરેશન ટ્રાઇડેંટ’ હેઠળ પાકિસ્તાનના કરાચી નૌકા મથક પર હુમલો કર્યો હતો. આ કામગીરીની સફળતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જ્યારે પાકિસ્તાને વર્ષ 1971ના યુદ્ધની યાદ આવે છે ત્યારે તેમની ઊંઘ હરામ થઈ જતી હોય છે. ભારતીય સેનાએ તેના નાપાક ઈરાદાઓ અને વ્યૂહરચનાઓને આંખના પલકારામાં નષ્ટ કરી દીધી હતી, તે કંઈ સમજે તે પહેલા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે વિચારતો રહી ગયો હતો કે શું કરવું અને ક્યાં જવું… કારણ કે આજના દિવસે એટલે કે 4. ડિસેમ્બર, ભારતીય નૌકાદળે તેની સબમરીન પીએનએસ ગાઝીને દરિયામાં દફનાવી દીધી હતી.આ દિવસે ભારતમામ ઈતિહાસ રચ્યો હતો એટલે 4 ડિસેમ્બર મહત્વનો દિવસ નૌસેના માટે ગણાય છે.