1. Home
  2. ગુજરાતી
  3. બ્લાઈન્ડ ક્રિકેટ ટી20 વિશ્વકપ રમવા પણ ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય
બ્લાઈન્ડ ક્રિકેટ ટી20 વિશ્વકપ રમવા પણ ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય

બ્લાઈન્ડ ક્રિકેટ ટી20 વિશ્વકપ રમવા પણ ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય

0
Social Share

ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ બ્લાઈન્ડ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન પણ પાકિસ્તાનમાં થવાનું છે. ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયા બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાન નહીં જાય. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારે ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

એક રિપોર્ટ અનુસાર, ભારતે બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સરકારે ટીમ ઈન્ડિયાને 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. પરંતુ ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. ભારતીય ટીમ બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન ન જવાને કારણે ભારતને મોટો ફટકો પડ્યો છે.

બ્લાઈન્ડ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 2022ની ફાઇનલમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 120 રને જીતી લીધી હતી. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 277 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશની ટીમ માત્ર 157 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 2012 અને 2017માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતની મુખ્ય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જઈ રહી નથી. આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. આ મુદ્દે ઘણો વિવાદ થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code