દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ છે કે જે બંધ થવાનું નામ લેતી નથી. અવાર નવાર ભારતીય સેના દ્વારા કરવામાં આવતા આતંકીના સફાયા બાદ પણ આતંકીઓ દ્વારા સેના પર પ્રહાર કરવામાં આવતા હોય છે. હવે ફરીવાર એવું બન્યું છે કે જેમાં શ્રીનગરમાં સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો થયો છે.
આ હૂમલામાં આતંકીઓ દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવાવમાં આવ્યા હતા. અને હૂમલામાં 3 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. શનિવારે શ્રીનગરના બાબરશાહ વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફ પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે. સુરક્ષાદળો આતંકીઓની શોધ કરી રહ્યા છે.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે ક્રાલખુદ પોલીસ સ્ટેશન હેઠળના બાબરસહ વિસ્તારમાં આતંકીઓ દ્વારા સાંજના 6 વાગ્યાની આસપાસ એક ગ્રેનેડ ફોડ્યો, તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગ્રેનેડ ફૂટવાના રસ્તાની બાજુમાં ફૂટ્યો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો હુમલાખોરોની શોધ કરી રહ્યા છે.
એક દિવસ અગાઉ 25 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બીજો એક શરણે ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી પ્રાપ્ત થતાં, સુરક્ષા દળોએ શોપિયન જિલ્લાના હંજીપોરા વિસ્તારમાં એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સુરક્ષા દળો પર આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
આગળ વધારે તેમણે ઉમેરતા કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદી અને તેની સંસ્થાની ઓળખ મળી રહી છે. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સમક્ષ એક અન્ય આતંકવાદી શરણાઈ ગયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આત્મસમર્પણ કરનાર આતંકીની ઓળખ શોપિયન જિલ્લાના રહેવાસી સાહિલ રમઝાન ડાર તરીકે થઈ છે.