અસમના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ અમલી, 9 ઓગસ્ટથી શરૂ થશે નુકસાનનું આકલન
ગુવાહાટી, 7 ઓગસ્ટ 2026: અસમના મુખ્યમંત્રી હિમાન્તા બિસ્વા સરમાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત પરિવારો માટે જાહેર કરાયેલા રાહત પગલાંઓનો અમલ શરૂ કરી દીધો છે. જમીની સ્તરે તાત્કાલિક મદદ અને પુનર્વવાસ સહાય પહોંચાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા જાહેર કરાયેલ દરેક રાહત ઉપાયને ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યો છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પૂર પ્રભાવિત પરિવારોને સમયસર મદદ મળે.”
-
રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓ
દરેક પાત્ર પરિવારને તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે રૂ. 15 હજારની રૂપિયાની વચગાળાની નાણાકીય સહાય મળશે. ‘ઓરુનોદોઈ યોજના’નો લાભ એક મહિના માટે વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓના પરિવારોને 10 હજારની વધારાની સહાય મળશે. પૂરના કારણે જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 5 લાખ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે.રાજ્ય સરકારે લોન ચૂકવવા પર છ મહિનાની મોહલત, વીજળી બિલ અને જમીનના વેરા (ખજાના) માફીની જાહેરાત કરી છે. ક્ષતિગ્રસ્ત આંગણવાડી કેન્દ્રો અને ‘નામઘર’ (પ્રાર્થના સ્થળો) ના પુનર્નિર્માણ માટે વિશેષ સહાય આપવામાં આવશે, જેમાં પ્રત્યેક ક્ષતિગ્રસ્ત નામઘર માટે 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પ્રભાવિત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ યુનિફોર્મ અને જરૂરી પ્રમાણપત્રોની ડુપ્લિકેટ નકલ મફતમાં આપવામાં આવશે.
-
9 ઓગસ્ટથી નુકસાનનું આકલન
સરકારે જાહેરાત કરી છે કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનનું આકલન આગામી 9 ઓગસ્ટથી શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અસમમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવેલી ભયાનક પૂરની સ્થિતિને કારણે 15 જિલ્લાઓમાં 1.68 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર રાહત શિબિરો અને બચાવ કાર્યો દ્વારા પૂરગ્રસ્તોને સતત સહાય પૂરી પાડી રહી છે.


