1. Home
  2. ગુજરાતી
  3. હવે ઇરાને પણ પાકિસ્તાનમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક, પોતાના બે સૈનિકોને છોડાવ્યા
હવે ઇરાને પણ પાકિસ્તાનમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક, પોતાના બે સૈનિકોને છોડાવ્યા

હવે ઇરાને પણ પાકિસ્તાનમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક, પોતાના બે સૈનિકોને છોડાવ્યા

0
Social Share
  • ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી
  • ઇરાને પાકિસ્તાનમાં ઘૂસીને તેના બે સૈનિકોને મુક્ત કરાવ્યા
  • ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું

તેહરાન: ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અહેવાલ અનુસાર ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડએ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા. પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

દક્ષિણ-પૂર્વ ઇરાનમાં IRGC ગ્રાઉન્ડ ફોર્સ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવારે રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં બંને સૈનિકોને પાકિસ્તાનમાં ઘૂસીને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે. ફોર્સ મુજબ બંને સૈનિકોને ઇરાન મોકલવામાં આવ્યા છે. ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના કટ્ટરપંથી વહાબી આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલે 16 ઑક્ટોબર, 2018ના રોજ બંને દેશોની સરહદ પર બલૂચિસ્તાન પ્રાંતના મર્કવા શહેરથી IRGCના 12 ગાર્સ્મનું અપહરણ કરી લીધું હતું. આ તમામ ગાર્ડ્સને અપહરણ કરી તેમને બલૂચિસ્તાન પ્રાંતમાં રાખવામાં આવ્યા હતા.

ત્યારબાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓએ એક જોઇન્ટ કમિટી બનાવી અને 12 સૈનિકોમાંથી 5 સૈનિકોને મુક્ત કરાવી દીધા. નવેમ્બર 2018માં 5 સૈનિકોને મુક્ત કરાવ્યા બાદ 21 માર્ચ, 2019ના રોજ પાકિસ્તાની સેનાએ વધુ 4 સૈનિકોને મુક્ત કર્યા હતા.

નોંધનીય છે કે, જૈશ ઉલ-અદલ કે જૈશ-અલ-અદલ એક સલાહી જેહાદી આતંકી સંગઠન છે જે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સક્રિય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code