ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન
ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે?
મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું જોઈએ નહીં.
મેથીની તાસીર ગરમ હોય છે પણ તેને આખી રાત પાણીમાં પલાડેલી રાખો તો આ શરીરના ગરમી વધારતી નથી પણ શરીરને ઠંડુ રાખવામાં કામ કરે છે. ઘણા લોકો ફણગાવેલા મેથી ખાય છે.
મેથીના પાણીમાં વિટામિન એ, બી, સી, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન, ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે આને પાવાથી નુકશાન નહીં શરીરની ગરમી ઓછી કરે છે.
મેથી શરીરને હાઈડ્રેટ રાખવામાં ખુબ અસરકારક છે. જો સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો કબજીયાત, ઝાડા, પેટનું ફૂલવું, ગેસ અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા મિલાવી દો. આખી રાત પલાળી રાખો. સવારે પાણીને ગાળીને બીજા વાસણમાં કાઢી લો. બીજને ખાઈ શકો છો અને સવારે ખાલી પેટ પાણી પી શકો છો. એક તપેલી લો અને તેમાં મેથીના દાણા મિક્સ કરો. પછી તેને 2-3 મિનિટ માટે ઉકાળો. પછી તમે તેને ચાની જેમ પી શકો છો.