1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે 25મી ડિસેમ્બરથી 31 મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલ યોજાશે. જેના માટે એએમસી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરાયુ છે. કાંકરિયા પરિસરને રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન કરાયુ છે.

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાશે.  કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ શહેરીજનો ભાગ લેશે.  કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજવામાં આવશે.  આખું કાંકરિયા પરિસર રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

એએમસી દ્વારા વર્ષ 2008થી દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા, કીર્તિદાન ગઢવી, યોગેશ ગઢવી સહિતના સૂર રેલાવશે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા સહિત કલાકારોના લોક ડાયરો અને હાસ્યના કાર્યક્રમો યોજાશે. કાંકરિયા પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજાશે. આખું કાંકરિયા પરિસર રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે.

વર્ષ 2008થી દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન એએમસી દ્વારા કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા, કીર્તિદાન ગઢવી, યોગેશ ગઢવી સહિતના સૂર રેલાવશે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકારો પણ લોકોને ખડખડાટ હસાવશે. પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code