1. Home
  2. ગુજરાતી
  3. ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ ખલાસીઓને કોવિડ સામે રક્ષણ આપતી રસી લેવા અપાઈ સૂચના

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ ખલાસીઓને કોવિડ સામે રક્ષણ આપતી રસી લેવા અપાઈ સૂચના

0
Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પાવનપર્વ પર ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સહિત ત્રણેય રથ ખેંચનારા ખલાસી ભાઈઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસી લેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ હવે જનજીવન પણ ધીમે-ધીમે પાટે ચડી રહ્યું છે. બીજી તરફ અમદાવાદના જગન્નાતજી મંદિરથી અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાને લઈને મંદિર સંચાલન અને પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની મહામારીને લઈને રથયાત્રાને લઈને વિશેષ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે. ભગવાનની નેત્રોત્સવ વિધિ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું છેઆ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ગુજરાત આવશે. તેઓ 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરે તેવી શકયતા છે.

કોરોના મહામારીને પગલે મંદિરના સેવક, ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ રસી લીધી છે. દરમિયાન ત્રણેય રથ ખેંચતા ખલાસીઓને પણ રસી લેવા માટે સૂચના આપવામાં આવી છે.ભગવાનના મોસાળ સરસપુરમાં પણ રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code