1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે,સીએમ એકનાથ શિંદેની જાહેરાત  
મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે,સીએમ એકનાથ શિંદેની જાહેરાત  

મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે,સીએમ એકનાથ શિંદેની જાહેરાત  

0
Social Share
  • સીએમ એકનાથ શિંદેની જાહેરાત  
  • પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે
  • વિશ્વાસ મત જીત્યા બાદ કરી ચર્ચા

મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં ઇંધણ પર વેટ (મૂલ્ય વર્ધિત કર) ઘટાડશે. વિશ્વાસ મત જીત્યા બાદ ચર્ચાનો જવાબ આપતા શિંદેએ ગૃહને માહિતી આપી હતી કે,ઈંધણ પર વેટ ઘટાડવાનો નિર્ણય રાજ્ય કેબિનેટમાં લેવામાં આવશે.આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના તેમના પ્રથમ ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે,બાલાસાહેબ ઠાકરે અને આનંદ દીધેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેને શિવસેના -બીજેપી સરકારની સ્થાપના કરી.

તાજેતરના વિદ્રોહના દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું કે, છેલ્લા 15-20 દિવસથી શિવસેનાના 40 ધારાસભ્યો અને 11 અપક્ષ ધારાસભ્યો, મારી સાથે કુલ 50 ધારાસભ્યોએ આટલો મોટો નિર્ણય લેવાની હિંમત બતાવી હતી. તે માટે બધાનો સાથીઓનો આભાર.” શિંદેએ કહ્યું, “હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે,હું મુખ્યમંત્રી તરીકે આજે આ સભાગૃહમાં બોલી રહ્યો છું કારણ કે જો તમે મહારાષ્ટ્રમાં અલગ-અલગ ઘટનાઓ જુઓ તો જનપ્રતિનિધિઓ વિપક્ષમાંથી સત્તા તરફ આગળ વધે છે.પરંતુ આજે આ એક ઐતિહાસિક ઘટના છે જેને દેશ અને રાજ્ય જોઈ રહ્યા છે.દેવેન્દ્રજીએ મને કહ્યું કે 33 દેશો તેને જોઈ રહ્યા છે.આ ઘટનામાં અમે સત્તામાંથી વિપક્ષમાં ગયા. અમારી સાથે ઘણા મંત્રીઓ હતા, તેઓ તેમના મંત્રી પદ છોડીને મારી સાથે આવ્યા, 50 ધારાસભ્યો મારી સાથે આવ્યા અને મારા જેવો એક કાર્યકર જે બાળાસાહેબ અને દિઘે સાહેબનો સૈનિક છે. તેના પર તેને વિશ્વાસ કર્યો.”

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code