1. Home
  2. ગુજરાતી
  3. UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ
UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

0
Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. STFએ હત્યા કેસમાં કાવતરું ઘડનાર આરોપી માફિયા અતીક અહેમદના સાળાની મેરઠથી ધરપકડ કરી છે. બાહુબલી અતીક અહેમદના સાળા અખલાક અહેમદને STF અને પ્રયાગરાજ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ પકડ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદના સાળા અખલાક અહેમદ મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની નગરમાં રહે છે. અખલાક અહેમદે ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપીઓને આર્થિક મદદ કરી હતી. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ અખલાકની અગાઉ પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તપાસ બાદ પ્રયાગરાજ પોલીસે એસટીએફ સાથે સંયુક્ત ઓપરેશનમાં અખલાકની ધરપકડ કરી હતી.

માફિયા અતીક અહેમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે અતીકના ભાઈ અશરફ અહેમદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હવે તમામની નજર ઉમેશ પાલ હત્યા કેસ પર છે.

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલતે ભૂતકાળમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.

અતીક ઉપરાંત કોર્ટે હનીફ, દિનેશ પાસીને પણ અપહરણના કેસમાં દોષી ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીક સામે 100 થી વધુ કેસ નોંધાયેલા છે, પરંતુ પ્રથમ વખત તેને કોઈ કેસમાં સજા થઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code