1. Home
  2. ગુજરાતી
  3. 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની માયાવતીની જાહેરાત
9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની માયાવતીની જાહેરાત

9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની માયાવતીની જાહેરાત

0
Social Share

લખનૌઃ ચાલુ વર્ષે રાજસ્થાન સહિત નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણી તથા લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના લડવાનો હુંકાર બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ કર્યો હતો.

માયાવતીએ તેમના 67માં જન્મદિવસ નિમિત્તે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કર્ણાટક, મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં બીએસપી કોઈપણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરશે નહિ અને પોતાની તાકાત પર ચૂંટણી લડશે. માયાવતીએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે તેમના માટે જરૂરી છે કે તેઓ આ અંગે જાહેરાત કરે કારણ કે કોંગ્રેસ અને કેટલીક અન્ય પાર્ટીઓએ ષડયંત્રના ભાગરૂપે કથિત રીતે એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ BSP સાથે ગઠબંધન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની ગત વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીનો પરાજય થયો હતો. એટલું જ નહીં વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ બીએસપીનું ધોવાણ થયું હતું. દરમિયાન નીતિશ કુમાર, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિતના નેતાઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષને ભાજપની સામે એક સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે માયાવતીની આ જાહેરાતની રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code