1. Home
  2. ગુજરાતી
  3. ઓષધિય ગુણોથી ભરપૂર ફુદીનાના અનેક છે ફાયદા
ઓષધિય ગુણોથી ભરપૂર ફુદીનાના અનેક છે ફાયદા

ઓષધિય ગુણોથી ભરપૂર ફુદીનાના અનેક છે ફાયદા

0
Social Share
  • ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર
  • ફુદીનાના અનેક ચમત્કારિક ફાયદા
  • અનેક રોગોને કરે છે ઝડપથી દૂર

ફુદીનો ઓષધિય ગુણોનો ભંડાર છે. તેના અનેક ફાયદા છે. ફુદીનામાંથી ચટણી બનાવી શકાય છે અથવા જલજીરા પણ બનાવી શકાય છે.ફુદીનાની ચટણીનું ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે. ફુદીનાના સેવનથી શરીરને ઠંડક મળે છે અને મન શાંત રહે છે.

ફુદીનામાં ઘણા પોષક તત્વો હોય છે. ફુદીનામાં મેન્થોલ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન-એ, રાઇબોફ્લેવિન, આયર્ન, ફેટ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટિવાયરલ, એન્ટીઓકિસડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે. તે આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે.

  • પેટની સમસ્યા કરે છે દૂર

ફુદીનાનું સેવન કરવાથી પેટની તમામ સમસ્યા દૂર થાય છે.પેટની બીમારી માટે તમે એક ચમચી મધ અને એક ચમચી ફુદીનાનો રસ અને નવશેકું પાણી પી શકો છો. તેનાથી પેટને ઘણી રાહત મળે છે. અપચો અને પેટમાં દુખાવા માટે તમે ફુદીનાને ઉકાળીને મધ ઉમેરી શકો છો અને તેનું સેવન કરી શકો છો. તે પેટની સમસ્યા દૂર કરે છે.

  • શરદી-ખાંસી-તાવમાં આપે છે રાહત

કાળા મરી, સંચળ અને ફુદીનાના રસથી ચા બનાવી શકાય છે. તે શરદી, ખાંસી અને તાવમાં રાહત આપે છે. આ સિવાય ફુદીનાના પાનની પેસ્ટ બનાવીને તમે તેને કપાળ પર પણ લગાવી શકો છો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

  • અસ્થમા સામે મદદગાર

મિન્ટમાં બળતરા વિરોધી, એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે. તે એલર્જી અને દમના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code