1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે
રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે

રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે

0
Social Share

લખનૌઃ- આજરોજ દેશભરમાં મુલ્સિમનો તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ આ પ્રસંગે દર્વર્ષે જાહેર રજાઓ શાળાઓમાં હોય છે જો કે ઉત્તરપ્રદેશની માધ્યમમિકથી  લઈને અનેક શાળાઓમાં મોહરમની રજાઓ રદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નિતીની આજે 3જી વર્ષ ગાઠ ઉજવવામાં આવી રહી છે જેને લઈને રાજધાની દિલ્હી ખાતે એક ભવ્યકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાષણ આપવાના છે જેને લઈને યુપીની શાળાઓમાં રજાઓ રદ કરાઈ છે અને તમામ વિદ્યાર્થીઓને પીએમનો લાઈવ પ્રોગ્રામ બતાવીને તેમનું ભાષણ સંભળાવાશે.

જેને લઈને મુહર્રમની રજા હોવા છતાં બેઝિક અને સેકન્ડરી સ્કૂલ શનિવારે ખુલ્લી રાખવામાં આવી છે. આ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાનનું ભાષણ સાંભળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે 29-30 જુલાઈના રોજ દિલ્હીમાં અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ કરવાના છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે શાળાઓમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન વિજય કિરણ આનંદે સૂચના જારી કરી છે કે શાળાઓ પહેલાની જેમ જ ખુલશે અને શાળાઓમાં ઉદ્ઘાટન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.જો કે બીજી તરફ એક દિવસની રજા રદ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં થોડો રોષ જોવા મળ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code