1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 48 હજારથી વધુ નવા કેસ, કોરોનાની લહેર જોખમી

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 48 હજારથી વધુ નવા કેસ, કોરોનાની લહેર જોખમી

0
Social Share
  • કોરોનાની ત્રીજી લહેર
  • મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં  કોરોનાનો બ્લાસ્ટ
  • લોકોએ સતર્ક રહેવાની જરૂર

મુંબઈ: દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે આઠ મહિના બાદ એક્ટિવ કેસની સંખ્યા પણ 20 લાખને વટાવી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,049 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 18,115 રિકવરી અને 22 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3 લાખ 23 હજાર 143 (3,23,143) થઈ ગઈ છે. પોઝિટિવિટી દર વધીને 19.23 ટકા થઈ ગયો છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5008 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 12,913 લોકો સાજા થયા અને 12 મૃત્યુ નોંધાયા હતા. રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 14,178 છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,756 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 17,494 લોકો રિકવર થયા અને 38 મૃત્યુ નોંધાયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 61,954 છે અને પોઝિટિવિટી દર 5.16 ટકા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 48270 નવા કેસ નોંધાયા હતા અને 52 લોકોના મોત થયા હતા. તે જ સમયે, મુંબઈમાં કોરોનાના 5008 નવા કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયા છે. આ દરમિયાન 12,913 રિકવર થયા હતા. સક્રિય કેસ 14,178 છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code