હવામાન ખાતા સામે ખોટા અનુમાન લગાવવાનો એમપીના ખેડૂત નેતાઓનો આરોપઃ જઈ શકે છે કાર્ટ
- હવામાન ખાતા સામે કેસ કરવાનો વિચાર
- ખેડૂતોએ ખોટી આગાહી કરવાનો લગાવ્યો આરોપ
ભોપાલઃ- મધ્યપ્રદેશના માલવા પ્રદેશના ખેડૂત નેતાઓએ ભારતીય હવામાન વિભાગ પર ખોટી આગાહી જારી કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વિભાગના ખોટા દાવાઓને કારણે તેમને હાલના સમયના પાકમાં ના ઉત્પાદનમાંઘણું નુકસાન થયું છે. તેઓ આ મામલે કોર્ટ કેસ દાખલ કરવાનું વિચારી રહ્યા છે.
બીજી બાજુ, હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું છે કે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખાનગી હવામાન વિભાગે આ વર્ષે ચોમાસાની વહેલું અનુમાન લગાવ્યું હતું, જ્યારે IMD એ આનાથી વિપરીત આગાહી જારી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમને જે માહિતી મળી રહી છે તે સાચી છે કે નહીં.
બીજી બાજુ, ભારતીય ખેડૂત સંઘના માલવા પ્રાંતના પ્રવક્તા ભરતસિંહ ચૌહાણે કહ્યું છે કે મોટાભાગના કેસોમાં હવામાન વિભાગની આગાહી નિષ્ફળ રહી છે. ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે ખોટી આગાહીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અમે અદાલતમાં ભારતીય હવામાન વિભાગ વિરુદ્ધ કેસ દાખલ કરવાનું વિચારી રહ્યા છીએ. આ બાબતે અંતિમ નિર્ણય સર્વોચ્ચ દ્વારા લેવામાં આવશે.
બીજી બાજુ, ઉજ્જૈનના ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, ખેડૂતો હંમેશા હવામાન વિભાગની આગાહી મુજબ વાવણીની તૈયારી કરતા હોય છે. પરંતુ તેની ભવિષ્યવાણી નિષ્ફળ જતાં તેઓને ભારે નુકસાન થયું અને વાવેલો પાક પણ નાશ પામ્યો.આવી સલ્થિતિ આ જ વર્ષે થઈ છે, આવી સ્થિતિમાં ખેડૂતો ભારતીય હવામાન ખાતા પર કેવી રીતે વિશ્વાસ કરી શકે? અમેરિકા અને અન્યત્ર હવામાનની આગાહી સચોટ છે અને ખેડૂતો તે મુજબ તૈયારી કરે છે. ભારતમાં સરકાર ભારે ખર્ચ કરી રહી છે, પરંતુ હવામાનની આગાહી ખોટી સાબિત થઈ રહી છે.