1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈ : ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો ! ભક્તોને ઓનલાઈન જ લાલબાગ કા રાજાના દર્શન અને પૂજા કરવા અપીલ
મુંબઈ : ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો ! ભક્તોને ઓનલાઈન જ લાલબાગ કા રાજાના દર્શન અને પૂજા કરવા અપીલ

મુંબઈ : ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો ! ભક્તોને ઓનલાઈન જ લાલબાગ કા રાજાના દર્શન અને પૂજા કરવા અપીલ

0
Social Share
  • ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો !
  • લાલબાગ કા રાજાના ઓનલાઈન દર્શન-પૂજા કરવા અપીલ
  • સરકારની ગાઈડ લાઈન મુજબ થશે ઉજવણી

મુંબઈ : મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ માત્ર સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે પણ ગણેશ પૂજા પર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે મુંબઈના વિભાગીય સચિવ સુધીર સાલ્વીનું કહેવું છે કે, આ વર્ષે પણ લાલબાગ કા રાજા ગણેશોત્સવ મંડળ ગણેશ ચતુર્થીનો તહેવાર કોરોના માર્ગદર્શિકા સાથે ઉજવશે. તેમણે કહ્યું કે 10 સપ્ટેમ્બરે મંદિરમાં ગણપતિ બાપ્પાની 4 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ સાથે તેઓનું કહેવું છે કે, ગણેશોત્સવ મંડળો ભક્તોને ઘરે રહીને બાપ્પાની ઓનલાઈન પૂજા કરવા અને દર્શન કરવા અપીલ કરશે.

કોરોના મહામારીને કારણે મુંબઈમાં ગણેશ મૂર્તિ બનાવનારાઓના વ્યવસાયને પણ મોટો આંચકો લાગ્યો છે, શિલ્પકારોનું કહેવું છે કે, કોરોના પ્રતિબંધોને કારણે સતત બીજા વર્ષે તેમનો વ્યવસાય ખૂબ પ્રભાવિત થયો છે. એક શિલ્પકારે કહ્યું કે આ વર્ષે પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. પરંતુ મહામારીને કારણે ગણપતિ મૂર્તિઓની માંગ પહેલા કરતા ઘણી ઓછી છે.મોંઘવારીને કારણે મૂર્તિની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.દેશ અને દુનિયામાંથી લોકો આ સમય દરમિયાન લાલબાગ કા રાજાને જોવા આવે છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઝ સુધી દરેક લોકો લાલબાગ કા રાજાના દરવાજે પહોંચે છે. એવું કહેવાય છે કે બાપ્પા પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જ્યાં સુધી બાપ્પા પંડાલમાં બિરાજમાન છે ત્યાં સુધી ભક્તોનો મેળાવડો રહે છે. પરંતુ કોરોના મહામારીને કારણે લાલ બાગ કા રાજાની રોનકમાં પણ ઘણો ઘટાડો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code