1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર
નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર

નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત બાદ NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.  NDA નેતા નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેની તૈયારીને લઇને આજે રાષ્ટ્રપતિ ભવનમાં ચેન્જ ઓફ ગાર્ડ નહી કરવામાં આવે. નેપાળના પ્રધાનમંત્રી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા રવિવારે ભારત આવશે. દિલ્હીમાં શપથગ્રહણ સમારોહને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વિદેશી દિગ્ગજો પણ હાજરી આપવા ભારત આવશે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સામેલ થશે. બંને સમારોહમાં સામેલ થવા માટે 9મી નવી દિલ્હી પહોંચશે.  નેપાળના પીએમ પુષ્પ કમલ દહલએ નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. નેપાળ અને શ્રીલંકાના બંને મહાનુભાવોએ શપથવિધી સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વિકાર્યું હતું. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પણ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આજે સાંજે ઢાકાથી દિલ્હી આવવાના રહવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં વિદેશી મહેમાનોની સાથે દેશમાં ભાજપા તથા એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એનડીએના નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code