1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત
કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

0
Social Share
  • બાબા રામદેવની કોરોનિલ દવાને લઇને WHOની સ્પષ્ટતા
  • અમે કોરોના માટે આવી કોઇ દવાને પ્રમાણિત કરી નથી
  • WHOએ ટ્વીટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી, જો કે કોરોનિલનું નામ આપવાનું ટાળ્યું

નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પંતજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના લોન્ચિંગ સમયે બાબા રામદેવે દાવો કર્યો હતો કે, ભારત સરકારની સાથે-સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ આ દવાને ક્લીયરન્સ આપ્યું છે. જો કે આ બાબતે WHOની પ્રતિક્રિયા પતંજલિ માટે નિરાશા લાવી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિવેદન અનુસાર તેમણે કોવિડ-19ની સારવાર માટે આવી કોઇ પરંપરાગત દવાનો રિવ્યુ નથી કર્યો તેમજ તેને પ્રમાણિત પણ નથી કરેલી. આ મામલે WHOએ ટ્વીટરના માધ્યમથી સ્પષ્ટતા કરી છે કે પરંતુ પતંજલિની કોરોનિલનું નામ લેવાનું ટાળ્યું છે.

બાબા રામદેવનો દાવો

બાબા રામદેવે કોરોનિલ દવાના લોન્ચિંગ સમયે આ દવાને ભારત સરકાર ઉપરાંત WHOની પણ મંજૂરી મળી હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમણે આ દવા રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કોરોનાને નિયંત્રિત કરવા ખૂબ અસરકારક છે તેવો દાવો પણ કર્યો હતો. બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં આ દવા લોન્ચ કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code