1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયબર ટેક્નોલોજીથી ચીન ભારતને મોટું નુકસાન પહોંચાડી શકે છે: જનરલ બિપિન રાવત

સાયબર ટેક્નોલોજીથી ચીન ભારતને મોટું નુકસાન પહોંચાડી શકે છે: જનરલ બિપિન રાવત

0
Social Share
  • ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી ચેતવણી
  • સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે
  • તે સાયબર એટેકથી ભારતને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે

નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, સાયબર ટેક્નોલોજીના મામલામાં ચીન ભારત કરતાં બહુ આગળ છે અને સાયબર એટેક થકી ભારતને મોટું નુકસાન પહોંચાડવા માટે પણ સક્ષમ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જનરલ રાવતે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સૌથી મોટું અંતર સાયબર ક્ષેત્રમાં છે. પાડોશી દેશે આઇટી પર બહુ રોકાણ કર્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે આ ક્ષેત્રમાં અંતર બહુ વધી ગયું છે. ચીન ભારત કરતા આગળ નીકળી ગયું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ચીન ભારત પર સાયબર એટેક કરવા માટે સક્ષમ છે અને તે આપણી સિસ્ટમને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આપણે એવી સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી સાયબર એટેક સામે આપણે સિસ્ટમનું રક્ષણ કરી શકીએ.

જનરલ રાવતે કહ્યું હતું કે, ભારતે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતાઓ ડેવલપ કરવી જ પડશે અને આ માટે પશ્વિમી દેશોની મદદ લીધા વગર આગળ વધવું જોઇએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code