1. Home
  2. ગુજરાતી
  3. જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ
જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

0
Social Share

નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે કમર કસી છે ત્યારે ભાજપે પણ હવે યુપી વિધાનસભાને ળઇને પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ દિશામાં આજે ગૃહમંત્રી અમિત શાહે કાસગંજમાં ભાજપની જન વિશ્વાસ યાત્રા રેલીમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન જનસભા સંબોધિત કરી હતી.

ભાજપની જન વિશ્વાસ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે યોગી સરકારની સરાહના કરી હતી અને કહ્યું હતું કે, પહેલા લોકો પોતાની દીકરીઓને સ્કૂલ અને કોલેજમાં મોકલતા ડરતા હતા. 4.5 વર્ષમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ યુપીના તમામ ગુંડાઓ ભાગી ગયા હતા.

ગૃહમંત્રી અમિત શાહે યોગી સરકારની પીઠ થાબડતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં યોગી સરકારના શાસનમાં યુપીમાં એક પણ કોમી તોફાન થયું નથી. તેમણે અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતા કે, અખિલેશ શું જોઇને વોટ માંગવા નીકળશે, લોકોને ખબર છે કે તમારા રાજમાં 700 તોફાનો થયા હતા. યોગી સરકારના રાજમાં એક પણ તોફાન થયું નથી.

શાહે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા કે, હું સાડા ચાર વર્ષ પહેલા જ્યાં જતો હતો ત્યાં એવું કહેવાતું કે સપાના ગુંડા પરેશાન કરી રહ્યાં છે, દરેક જીલ્લામાં એક દાદા હતા, આજે હનુમાન દાદાની સિવાય બીજા કોઇ દાદા નથી. 5 વર્ષની અંદર યોગીજીના રાજમાં યુપીના તમામ ગુંડાએ પલાયન કરી ગયા છે. પહેલા યુપીમાં સામાન્ય જનતા પલાયન કરી રહ્યાં હતા.

શાહે કહ્યું કે કલ્યાણ સિંહે પહેલી વાર ઉત્તર પ્રદેશમાં સુશાસન ની વાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં પહેલીવાર પછાતપણાની વાતો થઈ, પહેલી વાર કલ્યાણ સિંહે પછાત સમાજને સશક્ત બનાવવાનું કામ કર્યું હતું. કલ્યાણસિંહજીએ જ રામ જન્મભૂમિ પર મંદિર કે ખુરશી બનાવવાનો સમય આવ્યો ત્યારે બે મિનિટમાં ખુરશી ઠુકરાવી ને ભગવાન શ્રીરામના મંદિરનો રસ્તો સાફ કરી દીધો.

શાહે કહ્યું કે બુઆ-બાબુઆ યુપીમાં સરકારો ચલાવતા હતા. શું તેઓ દરેકનો વિકાસ કરી શકે છે? શું તમને સપાના નિયમ હેઠળ ફાયદો થયો? શું બસપાના શાસનમાં વિકાસ થયો હતો? તેઓ ન કરી શકે, આ જાતિવાદી પક્ષો છે, તેઓ પારિવારિક પક્ષો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અગાઉ બગડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code