અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ
- અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું
- જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ
- જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું
નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અરુણાચલ પ્રદેશના બન્ની ખાતે આ ઘટના ઘટી હતી.
જો કે સદનસીબે આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને ત્રણ ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે. ભારતયી વાયુસેનાએ આ જાણકારી આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગમાં ન હતું. ગુરુવારે જ્યારે પાયલટે ટેક ઑફનો પ્રયાસ કર્યો ત્યારે તે ક્રેશ થઇ ગયું હતું.
જો કે આ ઘટનાનું કારણ હજુ સામે નથી આવ્યું. અકસ્માત બાદ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ અપાય તેવી સંભાવના છે.