1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ
નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

0
Social Share
  • નવરાત્રીમાં  અષટમીપૂજાનું ખાસ છે મહત્વ
  • અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે.

દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ પવિત્ર દિવસોમાં, કોઈપણ દિવસે કન્યાઓની પૂજા કરીને પુણ્ય મેળવી શકાય છે, પરંતુ અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે અષ્ટમી તિથિ 13 ઓક્ટોબર અને નવમી તિથિ 14 ઓક્ટોબરે છે.

જાણો કન્યા પૂજનની વિશેષતાઓ

કન્યા સૃષ્ટિ સર્જન શ્રૃંખલાનું બીજ છે. તે પૃથ્વી પર પ્રકૃતિના સ્વરૂપમાં માતા શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો અનુસાર, શક્તિના રૂપમાં નવ દુર્ગાઓ, વ્યવસ્થાપક રૂપમાં નવ ગ્રહો, ત્રિવિધ તાપોમાંથી મૂક્તિ અપાવીને  ચારેય પુરુષાર્થ અપાવવા વાળી નવ પ્રકારની ભક્તિજ સંસાચ ચલાવવામાં મહત્વની ભુમિકા ભજવે છે

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે, આપણે ઉપવાસ, પૂજા, વિધિ વગેરે કરીએ છીએ, જે જીવનમાં ભય, અવરોધો અને શત્રુઓનો નાશ કરે છે, સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે દેવી હવન, જપ અને દાનથી એટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજાથી પ્રસન્ન થાય છે.

આદર સાથે એક કન્યાની કરેલી પૂજા સમૃદ્ધિ તરફ દોરી જાય છે, બે કન્યાની ઉપાસનાથી ભોગ, ત્રણ કન્યાની પૂજાથી આનંદ અને રાજ્ય સન્માન, ચાર અને પાંચની પૂજાથી, શાણપણ પ્રાપ્ત થાય છે, છની પૂજા કરવાથી, સફળતા પ્રાપ્ત થાય છે, સાતની ઉપાસના દ્વારા, સર્વોચ્ચ રાજ્ય, આઠની ઉપાસનાથી અષ્ટલક્ષ્મી પ્રાપ્ત થાય છે અને નવ કન્યાઓની ઉપાસનાથી તમામ પ્રકારની એશ્વર્ય પ્રાપ્ત થાય છે.

કન્યા પૂજન દ્રારા દેવી પ્રસન્ન કરવામાં આવે છે

દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યું છે કે દુર્ગાની પૂજા કરતા પહેલા પણ બાળકીની પૂજા કરો, ત્યાર બાદ જ દેવી દુર્ગાની પૂજા શરૂ કરો. નવરાત્રિના નવ દિવસો દરમિયાન, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કન્યાઓની ઉંમર બે વર્ષથી ઓછી અને દસ વર્ષથી વધુ ન હોવી જોઈએ. બે વર્ષની કન્યા એટલે કે કુમારી સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના દુ: ખ અને ગરીબીનો નાશ થાય છે. ભગવતી ત્રિમૂર્તિની પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.

કલ્યાણી દેવીની ઉપાસના કરવાથી જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. માતાના રોહિણી સ્વરૂપની પૂજા કરવાથી મૂળ પરિવારમાંથી તમામ રોગો દૂર થાય છે.માતાના કાલિકા સ્વરૂપની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધિ, ખ્યાતિ અને તમામ ક્ષેત્રોમાં વિજય પ્રાપ્ત થાય છે.

સાત વર્ષની કન્યામાં મા ચંડિકાનું સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા કરવાથી ધન, સુખ અને તમામ પ્રકારની એશ્વર્ય પ્રાપ્ત થાય છે.

નવ વર્ષની બાળકીને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે, દુશ્મનોનો નાશ થાય છે અને સૌથી મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતીમાં કન્યા કે સ્ત્રીઓને ખૂબ જ માન સમ્માન આપવામાં આવે છે કારણ કે તેને દેવીઓ મનાતાઓનું રુપ માનવામાં આવે છે અને એટલેજ નવરાત્રીમાં કન્યા પૂજનનું ખાસ મહત્વ રહેલું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code