અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરી રહ્યું છે, જૈશ-એ-મોહમ્મદ, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહનો ખુલાસો [VIDEO]
નવી દિલ્હી: ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સોમવારે કહ્યુ છે કે અમને ગુપ્તચર જાણકારી મળી છે કે જૈશ-એ-મોહમ્મદને અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરાઈ રહી છે. અમે તેનો ટ્રેક રાખી રહ્યા છીએ અને અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સંપૂર્ણપણે સતર્ક છીએ.
તેમણે કહ્યુ છે કે તેમના કોઈપણ ઈરાદાઓને સફળ થવા દઈશું નહીં. આ લોકોને ટ્રેનિંગ અપાઈ રહી છે, પાણીની તરપથી હુમલો કરવા માટેની.
મહત્વપૂર્ણ છે કે જૈશ-એ-મોહમ્મદ એ આતંકવાદી સંગઠન છે કે જેણે 14 ફેબ્રુઆરી-2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલાની બસને વિસ્ફોટક ભરેલી કાર દ્વારા હુમલો કરીને ઉડાવી હતી. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.