1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીજીસીએ જારી કર્યા નવા આદેશ -વિમાનની અંદર પણ કોરોનાના નિયમોનો ભંગ કરવા પર થશે દંડ
ડીજીસીએ જારી કર્યા નવા આદેશ -વિમાનની અંદર પણ કોરોનાના નિયમોનો ભંગ કરવા પર થશે દંડ

ડીજીસીએ જારી કર્યા નવા આદેશ -વિમાનની અંદર પણ કોરોનાના નિયમોનો ભંગ કરવા પર થશે દંડ

0
Social Share
  • વિમાનની અંદર કોરોનાનું પાલન ન કરવા પર થશે દંડ
  • ડીજીસીએ જારી કર્યા નવા આદેશ

દિલ્હી – દેશમાં કોરોના વાયરસ મહામારી  વકરી રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ યાત્રીઓ માટે અનેક નવા નિયમો જારી કર્યા છે.

ડીજીસીએ જણાવ્યું છે કે એરપોર્ટ્સ પર કોરોનાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું નથી. બધા એરપોર્ટ ઓપરેટરોએ ખાતરી કરવી આવશ્યક છે કે લોકોએ માસ્ક યોગ્ય રીતે પહેર્યા છે કે નહી, તેમજ એરપોર્ટ પરિસરમાં સુરક્ષિત રીતે શારિરીક અંતર પણ જાળવવું પડશે ડીજીસીએએ કહ્યું કે જે લોકો તેનું ઉલ્લંઘન કરે છે તેમને દંડ ફટકારવામાં આવશે.

25 મે 2020 ના રોજ ફરી વિમાન સેવાઓ શરૂ થઈ. હવે ઘણા રાજ્યોમાં કોરોના કેસ ફરીથી વધી રહ્યા હોવાથી એરલાઇન કંપનીઓ પણ કડક નિયમોનું પાલન કરાવી રહી છે. ડીજીસીએએ વિમાનની અંદર કોરોના નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે શોધવા માટે એરલાઇન્સને પણ અચાનક તપાસ કરવા સૂચના આપી છે.

આ તપાસ દરમિયાન જોવામાં આવશે કે કેટલી કંપનીઓ અને મુસાફરો કોરોનાના નિયમોનું કેટલું પાલન કરી રહ્યા છે. જો એરલાઇન્સ વિમાનની અંદરના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં સમર્થ ન હોય તો, તેમને દંડ પણ થઈ શકે છે. વળી, જો કોઈ વ્યક્તિ વારંવાર ચેતવણી આપ્યા છતાં તેનું પાલન ન કરે તો તેની સાથે ‘નોંધણી ન કરેલા મુસાફર’ જેવું વર્તન કરવામાં આવશે.

ડીજીસીએ જારી કરેલા નવા નિયમો જાણો

  • જો કોઈ મુસાફર ફ્લાઇટ ઉપડતા પહેલા  કહે છે કે તે ગાઇડલાઇન્સનું પાલન કરશે નહીં, તો તેને વિમાનમાંથી ઉતારી લેવો જોઈએ.
  • જો કોઈ મુસાફરો વારંવાર ચેતવણીઓ પછી પણ માસ્ક પહેરે નહીં અથવા કોરોના પ્રોટોકોલનું પાલન ન કરે, તો તે ‘નોંધણી વગરની મુસાફરો’ માનવામાં આવે છે
  • અનિયંત્રીત મુસાફરોને પાઠ ભણાવવા માટે નાગરિક ઉડ્ડયન સેવાઓ વિવિધ નિયમો ધરાવે છે. જો કોઈ મુસાફર અપમાનજનક ભાષા વાપરે છે, તો તેને ત્રણ મહિના માટે ઉડાન પર પ્રતિબંધ લગાવી શકાય છે.
  • જો કોઈ મુસાફર ક્રૂ સભ્ય પર હુમલો કરે છે, તો તેને છ મહિના માટે ઉડાન પર પ્રતિબંધ લગાવી શકાય છે.
  • આ ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઇલ વન ડાઉનલોડ કરવું જરૂરી છે.
  • એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તમામ ટેમ્પ્રેચર તપાસ પણ કરવામાં આવશે.
  • બોર્ડિંગ પાસ વિના મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • માસ્ક હંમેશાં યોગ્ય રીતે પહેરવા જોઈએ.

 

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code