1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં SG હાઈવેના વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણઃ ટુંકમાં લોકાર્પણ કરાશે
અમદાવાદમાં SG હાઈવેના વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણઃ ટુંકમાં લોકાર્પણ કરાશે

અમદાવાદમાં SG હાઈવેના વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણઃ ટુંકમાં લોકાર્પણ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ગીચ રહેતા એસજી હાઈ-વે પર વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનું હવે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રીજ પર વાહન વ્યવહાર શરૂ થતાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. શહેરના એસજી  હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી જવા હાલ જે એક કલાકનો સમય થાય છે, તે હવે પછીના સમયગાળામાં માત્ર 20 મિનિટનો થઈ જશે. આગામી સમયમાં હવે અમદાવાદ-ગાંધીનગર જતા ટ્રાફિકની સમયા નહીં નડે.

શહેરના એસજી હાઈવે પર વધુ એક બ્રીજ તૈયાર થઈ ગયો છે. વૈણોદેવી સર્ક લ પાસેનો ફલાય ઓવરબ્રીજ તૈયાર થઈ ગયો છે. વૈશ્નોદેવી સર્કલ પાસે ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ફ્લાય ઓવરબ્રીજ બનાવવાનું નક્કી કર્યું હતું. અગાઉ વૈશ્નોદેવી સર્કલ પર એસજી હાઈવેના ટ્રાફિક માટે ઓવરબ્રીજ બનાવવાનો હતો, પરંતુ એસપી રિંગ રોડ પર ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રનો પણ ટ્રાફિક રહેતો હોવાથી ત્યાં ભારણ વધી રહ્યુ છે. જેથી ઓવરબ્રીજની સાથે અંડર બ્રીજ માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી હોવાની ચર્ચા થતી હતી પરંતુ હાલ ફલાય ઓવરબ્રીજ  બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને હવે આગામી સમયમાં ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. ટ્રાફિકથી ધમધમતા એસજી હાઇવે પર હવે ટ્રાફિક હળવો થશે.. વૈશ્નોદેવી સર્ક લ પાસે ગાંધીનગરથી અમદાવાદને જોડતો વધુ એક બ્રીજ તૈયાર થયો છે. અંદાજિત રૂપિયા 28 કરોડના ખર્ચ તૈયાર થયેલા ફ્લાય ઓવર બ્રીજને  આગામી દિવસમાં ખુલ્લો મુકવામાં આવશે. થ્રી- લેયર સ્ટકચર આધારિત બ્રીજ તૈયાર કરાયો છે. અત્રે નોધંનીય છે કે, અમદાવાદના એસજી હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી અનેક ફલાય ઓવરબ્રીજ નિર્મણ પામી રહ્યા છે. જે આગામી સમયમાં ટ્રાફિકનું ભારણ હળવું થશે અને વાહનચાલકોનો સમય બચશે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code