1. Home
  2. ગુજરાતી
  3. ચહેરા પરથી ડાઘ દૂર કરવા માટે અજમાવો આ ફળની છાલ
ચહેરા પરથી ડાઘ દૂર કરવા માટે અજમાવો આ ફળની છાલ

ચહેરા પરથી ડાઘ દૂર કરવા માટે અજમાવો આ ફળની છાલ

0
Social Share
  • ચહેરા પરના ડાઘને આ રીતે કરો દૂર
  • આ ફળની છાલ કરશે મદદ
  • ત્વચા માટે પણ ફાયદાકારક છે આ ફળની છાલ

કેળા એક સુપર ફૂડ છે જે વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. તમે બધા જાણો છો કે, કેળા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે, કેળાની છાલ આરોગ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ત્વચાની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે કેળાની છાલ લગાવી શકો છો.

જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો, તો પછી કેળાની છાલનો ઉપયોગ કરો. તેમાં વિટામિન બી, સી, ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે. જે ખીલ અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કેળાની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

કેળાની છાલનું સ્ક્રબ

કેળાની છાલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ત્વચાની સમસ્યા દૂર કરવા માટે તમે કેળાની છાલ વાપરી શકો છો. આ માટે 3 ચમચી ખાંડ, ઓટમીલ પાવડર, કેળાની છાલનો પાવડર લો. હવે આ ત્રણેય ચીજોને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને સૂકાયા પછી તેને પાણીથી ધોઈ લો.

કેળાની છાલમાં મધ અને હળદરને આંગળીઓની મદદથી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને કેળાની સાથે ચહેરા પર ઘસો. ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.

ડાર્ક સર્કલ્સથી આપે છે રાહત

જો તમારી આંખો હેઠળ કાળા ડાઘ હોય તો તમે કેળાની છાલ વાપરી શકો છો. આ માટે કેળાની છાલનાં રેસા અને કુંવારપાઠું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ડાર્ક સર્કલ હેઠળ લગાવો અને લગભગ 10 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં 3 દિવસ અજમાવો.

ઓયલી સ્કિન માટે

તમે ઓયલી ત્વચાથી પરેશાન છો ? તો પછી તમે કેળાની છાલ વાપરી શકો છો. કેળાની છાલની અંદરની પડમાં લીંબુ અને એક ચમચી મધ નાખો અને છાલને ચહેરા પર ઘસો. આ ઉપાય અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાથી સારા પરિણામ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code