પીએમ મોદીએ રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
જયપુરઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજરોજ ગુરુવારે રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા છે તેમણે રાજસ્થાનમાં લગભગ રૂ. 5,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ સમારોહ જોધપુર શહેરમાં યોજાયો હતો જ્યાં પીએમ મોદીએ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસની તકતીઓનું અનાવરણ કર્યું હતું.
પીએમ મોદીની રાજસ્થાનની આ મુલાકાત રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.જોપુરમાં પીએમ મોદીના રાજસ્થાનમાં સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ યોજનાઓ શિલાન્યાસ દ્વારા બનાવવામાં આવી છે.
આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે જોધપુરમાં વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા માટે મહત્વના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.વડાપ્રધાને જોધપુર એરપોર્ટ ખાતે રૂ. 480 કરોડના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક નવા ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ પણ કર્યો હતો.વડાપ્રધાને IIT જોધપુર કેમ્પસ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ અત્યાધુનિક સંકુલ 1135 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
જાણકારી અનુસાર આ પ્રોજેક્ટ્સ હેઠળ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જોધપુર ખાતે 350 બેડનું ‘ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક’ અને સમગ્ર રાજસ્થાનમાં સાત ક્રિટિકલ કેર બ્લોક્સ વડાપ્રધાન-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનહેઠળ વિકસાવવામાં આવશે. આ સાથે જ AIIMS જોધપુર ખાતે ‘ટ્રોમા, ઇમરજન્સી અને ક્રિટિકલ કેર’ માટેનું સંકલિત કેન્દ્ર 350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.
આ સાથે જ પ્રધાનમંત્રીએ રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે નવી વિકસિત ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ લેબોરેટરી’, સ્ટાફ ક્વાર્ટર્સ અને ‘યોગ એન્ડ સ્પોર્ટ્સ સાયન્સ બિલ્ડીંગ’ રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે રાજસ્થાનમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના ઉદ્દેશ્ય સાથે NH-125A પર જોધપુર રિંગ રોડના કારવારથી ડાંગિયાવાસ સેક્શનને ચાર-માર્ગીય બનાવવા સહિત અનેક માર્ગ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.