1. Home
  2. ગુજરાતી
  3. PM  મોદીએ બાબાસાહેબ આંબેડકર જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ – કહ્યું ‘ભારતની પ્રગતિમાં આપ્યું છે અમૂલ્ય યોગદાન’
PM  મોદીએ બાબાસાહેબ આંબેડકર જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ – કહ્યું ‘ભારતની પ્રગતિમાં આપ્યું છે અમૂલ્ય યોગદાન’

PM  મોદીએ બાબાસાહેબ આંબેડકર જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ – કહ્યું ‘ભારતની પ્રગતિમાં આપ્યું છે અમૂલ્ય યોગદાન’

0
Social Share
  •  દેશભરમાં બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવી રહ્યા છએ
  • તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

 

દિલ્હીઃ- 14 એપ્રિલ આજના દિવસે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ દેશભરમાં ઠેર ઠેર ઉજવવામાં આવી રહી છે. ત્યારે આ અવરસર પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ડૉ. ભીમરાવ આંબેડકર એક ન્યાયશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી હતા જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહારાષ્ટ્રમાં દલિત પરિવારમાં થયો હતો.ભારતના બંધારણમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે તેમના અનેક યોગદાનને લઈને આજે દેશભરમાં તેમને યાદ કરવામાં આવી રહ્યા છે

આજના આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું, ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે “આપણા દેશ માટે તેમના સપનાને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો આજનો આ દિવસ છે.” આ ટ્વીટની સાથે મોદીએ બાબાસાહેબ આંબેડકર પર વિવિધ કાર્યક્રમોમાં આપેલા ભાષણો પર આધારિત એક વીડિયો પણ શેર કર્યો છે.

ઉલ્દેલેખનીય છે કે શભરમાં આજરોજ ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.આજના ખાસ દિવસે પીએમ મોદીએ પ્રધાનમંત્રી સંગ્રાહલયનું ઉદ્ધાટન પણ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code