Homeગુજરાતીપીએમ મોદીએ મન કી બાક કાર્યક્રમમાં કોરોનાને લઈને સતર્ક રેહવા કહ્યું -...

પીએમ મોદીએ મન કી બાક કાર્યક્રમમાં કોરોનાને લઈને સતર્ક રેહવા કહ્યું – જાણો તેમણે કરેલી વાતોના કેટલાક અંશો

  • પીએમ મોદીએ કરી મન કી બાત
  • જાણો મનકી બાત કાર્યક્રમના કેટલાક અંશો

આજે સવારે પીએમ મોદીએ મનકી બાત કાર્ક્મ કર્યો હતો આજે આ વર્ષો છે અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે 96મો એપિસોડ હતો આ દરમિયાન કોરોનાને લઈને પીએમ મોદીએ દેશની જનતાને સતર્ક રહેવા જણઆવ્યું છે,તો ચાલો જાણીએ આજની મન કી બાતમાં પીએમ મોદીએ કરેલી કેટલીક વાતો.

સૌ પ્રથમ તો આ કાર્યક્રમના રેડિયો પ્રસારણમાં તેમણે આજે નાતાલના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.  દેશવાસીઓને ઈસુ ખ્રિસ્તના ઉપદેશોને યાદ રાખવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્ટેજ કેન્સર, અટલજી અને ઐતિહાસિક હર ઘર તિરંગા અભિયાન પર ટાટા મેમોરિયલના યોગ સંબંધિત સંશોધનનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. કોરોનાના નવા ખતરાને જોતા પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત રહેવા કહ્યું.

માસિક મન કી બાત કાર્યક્રમમાં મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ‘તમે બધાએ મુંબઈની આ સંસ્થા વિશે સાંભળ્યું જ હશે. આ સંસ્થાએ સંશોધન, નવીનતા અને કેન્સરની સંભાળના ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું છે. આ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ઊંડાણપૂર્વકના સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ અસરકારક છે.

કોરોનાને લઈને ફરી વધી રહેલી આશંકાઓ વચ્ચે પીએમ મોદીએ કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા મોટા પડકારોને પાર કર્યા છે. આનો સંપૂર્ણ શ્રેય આપણા તબીબી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઇચ્છાશક્તિને જાય છે. હું તમને પણ વિનંતી કરું છું કે જો તમારી પાસે યોગ, આયુર્વેદ અને આપણી પરંપરાગત તબીબી પદ્ધતિઓ સંબંધિત આવા પ્રયાસો વિશે કોઈ માહિતી હોય, તો તેને સોશિયલ મીડિયા પર શેર કરો.

આ સાથે જ પીએમ મોદી એ પૂર્વ પ્રધાનમંત્રીને પણ યાદ કર્યા અટલ બિહારીના જન્મદયિંતિના દિવસે ખાસ વાતો યાદ કરી  પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે આપણા બધા માટે આદરણીય એવા અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. તેઓ એક મહાન રાજનેતા હતા જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું હતું. દરેક ભારતીયના હૃદયમાં તેમનું વિશેષ સ્થાન છે.

સંબંધિત લેખો

Most Popular