1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

0
Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર 2023ના રોજ એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.બપોરે લગભગ 1 વાગ્યે વડાપ્રધાન અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે વડાપ્રધાન નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે વડાપ્રધાન શિરડીમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આરોગ્ય, રેલ, માર્ગ અને તેલ -ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.સાંજે લગભગ 06:30 વાગ્યે વડાપ્રધાન ગોવા પહોંચશે, જ્યાં તેઓ 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.

મહારાષ્ટ્રમાં પીએમ મોદી

શિરડી ખાતેનું નવાં દર્શન કતાર સંકુલ, જેનું ઉદ્ઘાટન  વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે, તે અત્યાધુનિક આધુનિક મેગા બિલ્ડીંગ છે જે ભક્તો માટે આરામદાયક પ્રતીક્ષા વિસ્તારો પ્રદાન કરવા માટે પરિકલ્પનામાં છે. તે દસ હજારથી વધુ ભક્તોની સંચિત બેઠક ક્ષમતા સાથે અનેક વેઇટિંગ હોલથી સજ્જ છે. તેમાં ક્લોક રૂમ, શૌચાલય, બુકિંગ કાઉન્ટર, પ્રસાદ કાઉન્ટર, માહિતી કેન્દ્ર વગેરે જેવી વાતાનુકૂલિત જાહેર સુવિધાઓની જોગવાઈ છે. આ નવા દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ ઓક્ટોબર, 2018માં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નિલવંડે ડેમના ડાબા કાંઠા (85 કિમી) નહેર નેટવર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે. તે પાણીના પાઈપ વિતરણ નેટવર્કની સુવિધા દ્વારા 7 તાલુકાઓ (6 અહમદનગર જિલ્લામાં અને 1 નાસિક જિલ્લામાં) ના 182 ગામોને લાભ કરશે. નિલવંડે ડેમનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. તે લગભગ રૂ. 5177 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ‘નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની વધારાની રકમ આપીને લાભ કરશે.

વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલ અનેક વિકાસ કુર્દુવાડી-લાતુર રોડ રેલ્વે વિભાગનું વીજળીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવલને જોડતી ત્રીજી અને ચોથી રેલ્વે લાઇન (24.46 કિમી); NH-166 (પેકેજ-1) ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય; ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ પર વધારાની સુવિધાઓ; સહિતના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ આરોગ્ય વિંગનો શિલાન્યાસ કરશે.કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું પણ વિતરણ કરશે.

ગોવામાં પીએમ મોદી

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં રમત-ગમત સંસ્કૃતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. સતત સરકારી સહાયની મદદથી, એથ્લેટ્સના પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. ટોચના પર્ફોર્મર્સને ઓળખવા અને રમતગમતની લોકપ્રિયતામાં વધુ વધારો કરવા માટે રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજવાના મહત્વને ઓળખીને, દેશમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન 26મી ઑક્ટોબર 2023ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, મારગોવા ખાતે 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધન કરશે.

ગોવામાં પ્રથમવાર નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સ 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન યોજાશે. દેશભરમાંથી 10,000 થી વધુ રમતવીરો 28 સ્થળો પર 43 થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code