PM એ વર્ષ 2018મા કરેલી ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ ,જાણો ત્યારે પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે શું કહ્યું હતું
દિલ્હીઃ- તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2018મા કરેલી ભવિષ્યવાણી ચર્ચાનો વિષય બની છે પીએમ મોદીની તે વાત હવે સોશિયલ મીડિયા પર વાયુવેગ વાયરલ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિપક્ષી પાર્ટીઓની માંગ વચ્ચે આ પીએમ મોદીની વાતે જોર પકડ્યું છે.
પ્વરાપ્ચ્ચેત વિગત પ્રમાણે 2018માં આ પ્રકારના પ્રસ્તાવ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓએ 2023માં પણ આવો જ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવી જોઈએ.
વિપક્ષી પાર્ટીના એક સભ્યને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ અહંકારનું પરિણામ છે કે એક સમયે 400થી વધુ કોંગ્રેસની સીટો 2014ની લોકસભા ચૂંટણીમાં ઘટીને 40ની આસપાસ પહોંચી ગઈ હતી . તેમણે કહ્યું હતું કે તેમની સેવાની ભાવનાને કારણે ભારતીય જનતા પાર્ટીબેથી વધુ બેઠકો પરથી પોતાના દમ પર આ સત્તા સુધી આવી છે.
જો અપ્રસ્તાવ મામલે વર્ષ 2018ની પીએમ મોદીએ કરેલી ભવિષ્યવાણીની વાત કરીએ તો લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં, તેમણે કહ્યું હતું કે, “હું તમને શુભેચ્છા પાઠવું છું કે તમે એટલી તૈયારી કરો કે તમને વર્ષ 2023 માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તક મળી રહે. “ ત્યારે હવે સંસંદના સત્ર રમિયાન પીએમ મોદીના આ સંબોધનના વીડિયોને તેમની “ભવિષ્યવાણી” બતાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
tags:
pm modi