1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી.  અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી સાથેની ફાઈલ મોકલવામાં આવી હતી. કોલેજોને મોકલાયેલા ઈ-મેલ બે પાસવર્ડથી ખૂલશે જે બંને પાસવર્ડ યુનિવર્સિટી જે-તે કોલેજના આચાર્યને એસએમએસથી મોકલશે. યુનિ.ના સત્તાધિશોનું માનવું છે. કે, પેપર લીક થાય તો ક્યાંથી લીક કરાયું છે તે જાણી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષા દરમિયાન અગાઉ પેપરલિક થયાની ઘટના બાદ યુનિ.સત્તાધિશોએ ફરીવાર પેપરલિકની ઘટના ન બને તે માટે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ લેવાયેલી પરીક્ષામાં વ્યવસ્થા ગોઠવી શરાઈ નહતી. હવે 13મી ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓમાં યુનિ.એ પ્રશ્નપત્રો કોલેજોને મોકલવાની અલગ વ્યવસ્થા ઊભી કરી છે. હાલ સંભવત બીસીએ સહિતના કેટલાક પેપર જે માત્ર એક કે બે જ પાનાના હોય છે તે કોર્સના પ્રશ્નપત્ર જ ઈ-મેલથી મોકલવામાં આવશે જ્યારે એકાઉન્ટ સહિતના અન્ય કેટલાક વિષયોના પેપર બે-ચાર પાના કરતા વધુ હોય છે તે પ્રશ્નપત્ર ઓફલાઈન જે-તે કોલેજે રૂબરૂ જ મોકલવામાં આવશે. બુધવારે યુનિવર્સિટીએ કેટલીક કોલેજોના ટ્રાયલ બેઝ ઉપર ઈ-મેલ કર્યા હતા અને આગામી 13મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં વધુમાં વધુ પ્રશ્નપત્ર QPDS સિસ્ટમથી એટલે કે ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવે તેવા પ્રયાસો યુનિવર્સિટી કરી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગઈ તા. 9મી નવેમ્બરથી લેવાયેલી પરીક્ષામાં 87 ટકા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવ્યા હતા. જ્યારે માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા. સવારે 10.30 કલાકે પરીક્ષા શરૂ થવાની હતી તેના દોઢ કલાક પહેલા એટલે કે 9થી 9.15 કલાક દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્ર પર પેપરના પેકેટ પહોંચાડ્યા હતા. માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આર્કિટેક્ચર, હોમસાયન્સ, લો, પર્ફોર્મિંગ આર્ટસ, મેનેજમેન્ટ, સાયન્સમાં બીએસસી આઈટી, આર્ટસમાં બીએ આઈડીના પેપર પરીક્ષા કેન્દ્રો પર ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા. જોકે આ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે. જ્યારે બાકીના તમામ પેપર ઓફલાઈન મોકલાયા હતા. બીકોમ અને એમકોમ સહિતના કેટલાક કોર્સમાં પ્રશ્નપત્ર 10 થી 15 પાનાના હોવાથી ઇ-મેઇલમાં મોકલ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રિન્ટ કાઢવામાં કલાકોનો સમય વ્યતિત થયો હોવાના કારણે કોમર્સ સિવાયની અન્ય ફેકલ્ટીમાં આ સિસ્ટમ સફળ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code