1. Home
  2. ગુજરાતી
  3. રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન થયું ડેડ,મિત્રની હાલત જોઈ ભાવુક થઈ ગયા સુનીલ પાલ, કહ્યું- ‘તેમનો માત્ર શ્વાસ જ ચાલી રહ્યો છે..પ્રાર્થના કરો   
રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન થયું ડેડ,મિત્રની હાલત જોઈ ભાવુક થઈ ગયા સુનીલ પાલ, કહ્યું- ‘તેમનો માત્ર શ્વાસ જ ચાલી રહ્યો છે..પ્રાર્થના કરો   

રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન થયું ડેડ,મિત્રની હાલત જોઈ ભાવુક થઈ ગયા સુનીલ પાલ, કહ્યું- ‘તેમનો માત્ર શ્વાસ જ ચાલી રહ્યો છે..પ્રાર્થના કરો   

0
Social Share

મુંબઈ: કોમેડીના બાદશાહ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ દિવસોમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 9 દિવસથી AIIMS હોસ્પિટલમાં દાખલ છે.તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી.તે હજુ પણ વેન્ટિલેટર પર છે.થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે,તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ગુરુવારે સાંજે ફરી એકવાર રાજુની હાલત નાજુક થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રાજુ શ્રીવાસ્તવ બ્રેઈન ડેડ થઈ ગયા છે.

હાલમાં જ રાજુ શ્રીવાસ્તવના ખાસ મિત્ર સુનીલ પાલે એક વીડિયો શેર કરીને લોકોને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. સુનીલ પાલે કહ્યું કે,રાજુ શ્રીવાસ્તવનો માત્ર શ્વાસ ચાલી રહ્યો છે, બાકીના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.

સુનીલ પાલે કહ્યું- ‘મેં થોડા સમય પહેલા રાજુના ભત્રીજા કુશલ સાથે વાત કરી હતી અને મને ખબર પડી કે રાજુનું મગજ કામ નથી કરી રહ્યું. ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને દરેક તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રાજુ શ્રીવાસ્તવ રાબેતા મુજબ વર્કઆઉટ કરવા માટે જીમમાં ગયા હતા.10 ઓગસ્ટના રોજ તે ટ્રેડમિલ પર ચાલતી વખતે પડી ગયા હતા.તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code