1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ શિક્ષકોની ભરતી કરવાનું સરકારે નક્કી કર્યુ છે. જે અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2398 શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે 1 જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે. કોવિડ-19ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 5 શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો આપવામાં આવશે. જેનું યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ જ દિવસે તમામ જિલ્લા મથકે કલેક્ટર કચેરીમાં 20 ઉમેદવારોને પણ હુકમો અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અંતર્ગત ઉમેદવારોને ઓનલાઈન શાળા ફાળણી પત્રો ઉમેદવારોને 27 મે 2021થી 1 જૂન 2021 સુધી ડાઉનલોડ કરી જિલ્લા મથકે ભલામણ પત્ર અને નિમણૂક હુકમ મેળવવા માટે 1 જૂનના રોજ ઉપસ્થિત રહેશે. આ માટે ઉમેદવારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાળા ફાળવણી પામેલા 2938 ઉમેદવારો પૈકી પ્રતિનિધિ રૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા ઉમેદવારો પૈકી 5 ઉમેદવારોને મુખ્યપ્રધાનના  હસ્તે નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે. ઉપરાંત નવ નિયુક્ત શિક્ષકોને મુખ્યપ્રધાન સંબોધન કરશે અને તેનું લાઈવ પ્રસારણ યૂટ્યૂબના માધ્યમથી કરવામાં આવશે. આ પ્રસારણ તમામ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી નિહાળે તે માટે સૂચના અપાઈ છે. દરેક જિલ્લા મથકે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાને ફાળવાયેલા ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોને વિડીયો કોન્ફરન્સ રૂમમાં હાજર રાખવાના રહેશે. ત્યારબાદ મુખ્યપ્રધાન કાર્યક્રમ વખતે આ 20 ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ એનાયત કરવાના રહેશે.

જિલ્લામાં શાળા ફાળવણી પામેલા ઉમેદવારોને તેમને ફાળવાયેલી શાળાના ભલામણ પત્ર તેમજ નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી ડ્રાઈવ થ્રૂ પદ્ધતિ કરવાની રહેશે. ઉમેદવારોની નિમણૂકવાળા સ્થળે 7 જૂનથી 7 દિવસમાં સંબંધિત શાળા સંચાલક મંડળને હાજર કરવા માટે સૂચના આપવાની રહેશે. ઉમેદવારોએ ભારતીય નાગરિક હોવા અંગેનું તથા પોતાની વિરુદ્ધ કોઈ ફોજદારી ગુનો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સોગંદનામું તેમજ પોતાની સારી ચાલ ચલગત હોવા અંગેનું અધિકારીનું પ્રમાણપત્ર નિમણૂકવાળી કચેરીમાં હાજર થતી વખતે રજૂ કરવાનું રહેશે. ઉમેદવારોને હાજર કરતા પૂર્વે શાળા મંડળે ઉમેદવારોના અસલ ગુણપત્રકો-દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત નકલ ખરાઈ અર્થે 6 મહિના માટે જમા લેવાના રહેશે. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી લાયક ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં તેમના પ્રમાણપત્રની ખરાઈ કરવાની રહેશે. ઉમેદવારોના કિસ્સામાં તેમના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહેશે. જો ઉમેદવાર કોવિડ પોઝિટિવ હોય તો તે ઓથોરિટી લેટર સાથે અન્ય વ્યક્તિને હાજર રાખી શકશે. ઉપરાંત શાળામાં હાજર થવાની તારીખમાં પણ છૂટછાટ આપવા જિલ્લા કક્ષાએથી જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code