1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

0
Social Share

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી.

એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં બેદરકારી કરવાની નથી. આગામી તહેવારી સિઝનમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો આગામી આઠ અઠવાડિયા સાચવી લીધું તો કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં ઘટાડો સામે આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા સહિત દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, ભારતમાં કોરનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 30 હજારથી ઓછા કેસ દરરોજ સામે આવી રહ્યાં છે. પરંતુ દક્ષિણ ભારતના કેરલમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રસીકરણ અભિયાનને પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેથી મોટાભાગની જનતાને કોરોના સામે સુરક્ષિત કરી શકાય. દેશમાં ત્યાર સુધીમાં 80 કરોડથી વધારે લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આગામી દિવસોમાં બાળકો માટે પણ કોરોનાની રસી ઉપલબ્ધ થાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code