1. Home
  2. ગુજરાતી
  3. IPL ફેઝ-2: BCCIએ જારી કરી હેલ્થ એડવાઇઝરી, આવા હશે નિયમો
IPL ફેઝ-2: BCCIએ જારી કરી હેલ્થ એડવાઇઝરી, આવા હશે નિયમો

IPL ફેઝ-2: BCCIએ જારી કરી હેલ્થ એડવાઇઝરી, આવા હશે નિયમો

0
Social Share
  • 19 સપ્ટેમ્બરથી IPLનો બીજો તબક્કો શરૂ થશે
  • આ પહેલા BCCIએ 46 પેજની હેલ્થ એડવાઇઝરી જારી કરી
  • જો બોલ સ્ટેન્ડમાં આવશે તો તેને બદલવામાં આવશે

નવી દિલ્હી: IPL 2021નો બીજો તબક્કો UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે ત્યારે BCCIએ ટૂર્નામેન્ટ માટે 46 પાનાની હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે. આ હેલ્થ એડવાઇઝરી અનુસાર, જો બોલ સ્ટેન્ડમાં જાય તો તેને બદલવામાં આવશે અને પછી તેને સાફ કરીને લાઇબ્રેરીમાં રાખવામાં આવશે.

BCCI અને અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2021ના બીજા તબક્કા દરમિયાન દર્શકોને સ્ટેન્ડમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. અર્થાત્ IPL 2020ની જેમ જો બોલ સ્ટેન્ડમાં જાય છે તો દર્શકો બોલને ફેંકી દે છે તે સ્પર્શ કરે છે. જો કો કોવિડ સ્થિતિમાં જો હવે બોલ સ્ટેન્ડમાં જાય તો તેને બદલવામાં આવશે.

જો બોલ સ્ટેન્ડમાં અથવા સ્ટેડિયમની બહાર જાય તો તેને બદલવાથી બેટ્સમેનોને વધુ ફાયદો થશે કારણ કે નવો બોલ સખત હશે અને તે સરળતાથી બેટ પર આવશે. સંયુક્ત આરબ અમીરાતમાં પીચ સામાન્ય રીતે સ્પિનરોની તરફેણમાં હોય છે, પરંતુ હવે આ નિયમ બદલાવાથી સ્પિનરોને સમયાંતરે નવા બોલ સાથે બોલિંગ કરવાની ફરજ પડશે.

આ વખતે BCCIએ ચેતવણી આપી છે કે, આ વખતે બબલનો ભંગ સહન કરવામાં આવશે નહીં. ચાલુ આરોગ્ય અને સલામતી પ્રોટોકોલ અનુસાર, બબલ ભંગ થાય તો ફ્રેન્ચાઇઝી સભ્યો અને પરિવારોને સજાનો સામનો કરવો પડી શકે છે.

નોંધનીય છે કે,  IPL 2021ની બાકીની મેચ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 19 સપ્ટેમ્બરથી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાથે યોજાશે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 8 ઓક્ટોબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે. ગ્રુપ સ્ટેજ પછી પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર -2 ક્રમશ: શારજાહમાં 11 અને 13 ઓક્ટોબરે યોજાશે. ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે દુબઇમાં રમાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code