Homeગુજરાતીશ્રીલંકાના રાજદૂતે નાણામંત્રી સીતારમણ સાથે કરી મુલાકાત- ભારતની સહાય માટે માન્યો...

શ્રીલંકાના રાજદૂતે નાણામંત્રી સીતારમણ સાથે કરી મુલાકાત- ભારતની સહાય માટે માન્યો આભાર

  • શ્રીલંકાના રાજદૂતે ભારતના નાણામંત્રી સાથએ કરી મુલાકાત
  • કટોકટી વખતે સહાય કરવા માટે આભાર માન્યો

દિલ્હીઃ- ભારત દેશ હવે વિશ્વમાં ઊભરી આવતો આર્થિક દેશ બની રહ્યો છે,કટોકટીના સમયે ભારત વિશ્વના ઘણા દેશોને મદદ મોકલે છે અને સરહાનિય કાર્ય કરે છે ત્યારે શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડા વિતેલા દિવસને  મંગળવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. મુશ્કેલ સમયગાળા દરમિયાન ટાપુ રાષ્ટ્રને પ્રદાન કરેલી ટૂંકી કટોકટીની સહાય માટે તેમનો આભાર માન્યો.

આ સાથે જ હાઈ કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોકાણ, પર્યટન અને વેપારને વધારીને બંને દેશો વચ્ચે બહુપક્ષીય આર્થિક એકીકરણ દ્વારા ભારત શ્રીલંકાના આર્થિક પુનરુત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મંત્રી સીતારમણ અને હાઈ કમિશનર મોરાગોડાએ પણ દ્વિપક્ષીય આર્થિક સહયોગની સ્થિતિની સમીક્ષા કરી.

શ્રીલંકાના હાઈ કમિશનના સત્તાવાર નિવેદન અનુસાર, શ્રીલંકાના રાજદૂતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) સાથે શ્રીલંકાની ચાલી રહેલી ચર્ચાઓ અને દેશની દેવાની પુનઃરચના પ્રક્રિયાની વર્તમાન સ્થિતિ વિશે પણ નાણાં પ્રધાનને માહિતી આપી હતી.

આ સાથે જ વર્તમાન કટોકટીના સંદર્ભમાં, હાઈ કમિશનર મોરાગોડાએ ગયા વર્ષે નવેમ્બરથી સીતારામણ સાથે શ્રીલંકાને ભારતીય આર્થિક સહયોગ અને સહાય અંગે બીજી બેઠક કરી હતી. વધુમાં, મોરાગોડાએ તેમને શ્રીલંકાના વર્તમાન આર્થિક સંકોચનથી દેશની સૌથી ગરીબ અને સૌથી વધુ સંવેદનશીલ વસ્તી પર પડી રહેલી ગંભીર અસરો વિશે જાણકારી આપી.

 

સંબંધિત લેખો

Most Popular