1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

0
Social Share
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • પોલીસની ભરતીમાં પારદર્શિતા રખાશે
  • LRD અને PSIની આવી રહી છે પરીક્ષા

અમદાવાદ :સરકાર દ્વારા જ્યારે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. આવામાં પોલીસની ભરતી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસની ભરતીમાં તેમજ એલઆરડીની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે.

આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ભરતીઓમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે. કોઈ પણ ઉમેદવાર કોઈ એજન્ટના ચક્કરમાં ન આવે. આ મામલે રાજ્યની દરેક જિલ્લાની પોલીસ આવા એજન્ટો પર તેમજ ઉમેદવારો પર નજર રાખી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે,એલઆરડીની ભરતી અને પીએસઆઈની બંને ભરતી મેરિટના આધારે જ નક્કી કરવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે પણ જણાવ્યું કે ગુજરાત પોલીસ વર્ષોથી મેહનત કરી રહી છે. જે મહેનતને હવે નવી જનરેશન આગળ વધારશે તેવુ મને દેખાઈ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને હાલ ઉમેદવારો સખત મહેનત કરી રહ્યા છે. જેથી મહેનત કરનારા યુવકો જરૂરથી સફળ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code