1. Home
  2. ગુજરાતી
  3. અભ્યાસ – કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓ કરી રહ્યા છે આ બીમારીની ફરીયાદ
અભ્યાસ – કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓ કરી રહ્યા છે આ બીમારીની ફરીયાદ

અભ્યાસ – કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓ કરી રહ્યા છે આ બીમારીની ફરીયાદ

0
Social Share
  • કોરોનાના દર્દીઓ પર એક અભ્યાસ
  • કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓને હાર્ટનો પ્રોબલમે
  • કેટલાક દર્દીઓ કોરોના બાદ હ્દય રોગની પીડિત

સમગ્ર વિશ્વમાં કોરોમા વાયરસએ પ્રકોપ ફેલાવ્યો છે, કોરોનાના કારણે ક્ટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ પણ કેટલાક લોકો તેની પીડા સહન કરી રહ્યા છએ , જો કે હવે વેક્સિન આવવાથી લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે, પરંતુ એક અભ્યાસમાં  કોરોના વાયરસને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે,

એક ગ્લોબલ જર્નલના રિસર્ચ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા 40 ટકા લોકો હૃદય સાથે જોડાયેલી  બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ કોરોનાને માત આપીને બરાહ આવી ચૂક્યા છે પરંતુ તેઓ એક અન્ય બીમારી સાથે જોડાયેલા રહી જાય છે અને તે બીમારી છે હ્દય સાથે સંકળાયેલી, કોરોના સંક્રણના કારણે સાજા થયા બાદ અનેક રિસર્ચ મબજબ કેટલીક તકલીફો રહે છે ત્યાપે હવે એક અભ્યાસમાંમ આ બાબતે પણ ખુલાસો થયો છે કે,સાજા થયા બાદ હૃદય સાથે જોડાયેલી મુશ્કેલીઓ વધે છે.

આ અભ્યા કરવા પાછળનો મુખ્ય હેતું

કેટલાક કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હોસ્પિટલમામં હ્દયને લગતી બીમારીના નિદાન માટે આવતા હતા જેને લઈને આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને  અભ્યાસમાં આ બાબતે ખુલાસો થયો હતો.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના પ્રોફેસર ડોક્ટર અંબુજ રાયના કહ્યા પ્રમાણે, કરવામાં આવેલા  રિસર્ચથીએ બાબત સ્પષ્ટ પણ કહી શકાય છે કે,, કોરોનાથી સ્વસ્થ થયેલા અથવા ફરી કોરોના સંક્રિય લગભગ 40 ટકા જેટલા દર્દીઓના હૃદયમાં સોજા થવાની અને હ્દય સાથે જોડાયેલી બીમારી થવાની  ફરિયાદ જોવા મળી છે.

કોરોનામાંથી સાજા થયા બાદના 40 ટકા દર્દીઓ હ્દય રોગથી પીડાઈ છે – 199 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક જર્નલમાં પ્રકાશિત થયેલા આ રિપોર્ટમામં માત્ર  199 લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધનમાં લક્ષણ નગરના અને લક્ષણવાળા દર્દીઓ બંનેનો  આ અભ્યાસમામં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ દરમિયાન સંક્રમિત લોકો અને સર્વેમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર 40થી 50 વર્ષનીન વચ્ચે હતી. આ સમગ્ર બાબતને લઈને ડો.અંબુજ રોયએ જણાવ્યું હતું કે 199 લોકો પર હાથ ધરાયેલા સંશોધનમાં 90 એટલે 40 ટકા લોકોને હૃદયની બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code