1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરઃ લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત
સુરેન્દ્રનગરઃ લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત

સુરેન્દ્રનગરઃ લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત

0
Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગરના કટારિયા ગામ પાસે લકઝરી બસ અને વાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી મોટરકારમાં છ વ્યક્તિઓ સવાર થઈને રાજસ્થાનમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. તેમની કાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગરના કટારિયા ગામ પાસેથી પસાર થતી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવને પગલે આસપાસના રહીશો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુડચેફુડચા ઉડી ગયા હતા. પોલીસે રાહત કામગીરી હાથ ધરીને બે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કારના કેટલાક ભાગ કાપીને અંદર ફસાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. પોલીસ દ્વારા તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતા. તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code