1. Home
  2. Tag "amit shah"

ક્ષત્રિયઓને મનાવવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ જતા હવે અમિત શાહ ભાજપના ક્ષત્રિય નેતાઓને મળશે

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મનાવવા માટે ભાજપએ એડીચાટીનું જોર લગાવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજપુત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચા જાગી હતી, પરંતુ કહેવાય છે. કે, રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો મંત્રણા કરવાના મુડમાં નથી. ત્યારે હવે […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પરત બોલાવવા વિચારણા કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર બળ અધિનિયમને હટાવવાની વિચારણા કરશે. એક સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીંથી જવાનોને પાછા બોલાવવા અને કાનૂન વ્યવસ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાની યોજના બનાવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિવિધ ઓપરેશનોનું નેતૃત્વ કરી રહી છે. એએફએસપીએ સશસ્ત્ર દળોના જવાનોને અધિકાર આપે […]

આતંકવાદ સામેની તડાઈ વધારે વેગવંતી બનાવાઈ, ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદ સામે લડવા ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમ અને NIA શાખાઓ શરૂ કરી. દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલી ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (CCMS)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કોચીમાં NIAની 2 નવી શાખા કચેરીઓ અને રાયપુરમાં રહેણાંક સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. શાહે એક મોબાઈલ એપ […]

વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ વિખૂટા પડેલા લોકોને આપેલુ વચન મોદી સરકારે નિભાવ્યું: અમિત શાહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાંથી હિજરત કરીને દેશના અલગ અલગ ખૂણે વસેલા હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપતો કાયદો એટલે કે CAA પર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહી, આથી કોઇએ ડરવાની જરૂર નથી. એ તમામ લોકો કે જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય […]

CAA ભારતીય મુસ્લિમોની સ્વતંત્રતા અને તકોને કોઈ અસર કરતું નથીઃ કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરાયા બાદ વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, સરકારે ફરી એકવાર કહ્યું છે કે CAA ભારતીય મુસ્લિમોની સ્વતંત્રતા અને તકોને કોઈ અસર કરતું નથી. સરકારે એમ પણ કહ્યું છે કે ભારતીય નાગરિકતા લેવા માટે વિશ્વના ક્યાંયથી પણ આવતા મુસ્લિમો પર કોઈ પ્રતિબંધ […]

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા […]

સોનિયા ગાંધી પુત્ર રાહુલને વડાપ્રધાન અને લાલુ યાદવ પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિહારની રાજધાની પટનામાં આયોજીત એક મહાસંમેલનને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે જ્યારે લાલુ યાદવ તેમના પુત્ર (તેજશ્વી યાદવ)ને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બંનેને માત્ર પોતાના પરિવારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code