1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાના પ્રારંભને પખવાડિયું વિત્યા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ બિમારીના દર્દીઓની દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 250થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો […]

ઉત્તમ લીડરશીપ હોય તો મુશ્કેલ સ્થિતિમાં પણ સરળતાથી બહાર આવી શકાય છેઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ પબ્લિક હેલ્થ માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવાના હેતુથી ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં 50 સિનીયર કેડર અધિકારીઓને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું […]

ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો શનિવારે દીક્ષાંત સમારોહ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ તા. 2 ડિસેમ્બરના રોજ રવિવારે ગાંધીનગરના રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના સંકુલમાં યોજાશે. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. મુકેશ અંબાણી ઉપસ્થિત રહેશે. તેમજ ઈસરોના ચેરમેન ડો.એસ.સોમનાથ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. બંને મહાનુભાવો વિદ્યાર્થીઓને સંબોધિત કરવાની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં હવે રીંછ, ઝરખ, વરૂ અને શિયાળ સહિત પ્રાણીઓ લવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માત્ર શહેરીજનોનો જ નહીં બહારગામથી શહેરની મુલાકાતે આવતા લોકો પણ ઈન્દ્રોડા પાર્કની મુલાકા લેવાનું ભૂલતા નથી. ઈન્દ્રોડા પાર્કમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની શિબિર પણ યોજાતી હોય છે. પાર્કમાં હાલમાં સિંહ, દિપડો અને વાઘ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર છે. હવે નવા પ્રાણી લાવવાની પ્રક્રિયા ચાલી […]

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ

ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે જ્યારે મહિલાઓ તેમાં જોડાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમગ્ર ગુજરાત પ્રદેશને પ્રાકૃતિક પ્રદેશ બનાવવા નેતૃત્વ લેવા નારીઓને અનુરોધ કર્યો હતો. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં તેમણે કહ્યું કે, આગામી બે વર્ષમાં સમગ્ર ગુજરાતને ઝેરમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે, આ મિશન માટે […]

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ રહેવા લાયક છે કે કેમ? હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, અને કર્મચારીઓને સરકારી ક્વાટર્સ રહેવા માટે ફળવવામાં આવ્યા છે. અને વર્ષોથી કર્મચારીઓ સરકારી ક્વાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં ઘણા કવાટર્સ જર્જરિત બની ગયા છે. સેકટર 29માં એક કવાટર્સનું છજુ પડવાની ઘટના બાદ સરકારે તમામ કવાટર્સની હાલત અંગે રિપોર્ટ માંગ્યો હતો. હવે તમામ કવાટર્સમાં થર્ડ પાર્ટી […]

ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસીસનો ઘણો વિકાસ થયો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનાવી વિકાસના રોલમોડેલ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ તરીકે ખ્યાતિ મેળવી છે. તેની પાછળ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી અને લેબર-પીસ માટે પ્રાઈવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીની પણ મહત્વની ભૂમિકા છે. ‘સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીઝ’ દ્વારા ગાંધીનગરમાં […]

ભારત નાણાકીય અને એકાઉન્ટિંગ પ્રક્રિયાઓના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એમઆરઆઈ અને સીટી સ્કેનના ફાઇનાન્સ સ્વરૂપ તરીકે વર્ણવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વિશિષ્ટ ભૂમિકાને કોઈ પણ રીતે નબળી પાડવાથી દેશના અર્થતંત્ર અને નાણાકીય સ્વાસ્થ્ય પર વ્યાપક અસર પડશે. ગાંધીનગરમાં શુક્રવારે ‘ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન’નાં ઉદઘાટન સત્રને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કરવેરાની ચોરી […]

ગાંધીનગરમાં રાહત દરના પ્લોટ પર બાંધકામ કરી પ્રમાણપત્ર મેળવી લેવા કલેકટરનો આદેશ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રાહત દરે રહેણાંક માટેના પ્લોટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં વર્ષોથી કેટલાક પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ જ કરવામાં આવ્યું નહીં હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટર હિતેશ કોયાએ 24 મી ફેબ્રુઆરી – 2024 સુધીમાં એટલે કે ત્રણ મહિનામાં પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરી વપરાશનું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ […]

કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે  જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code