1. Home
  2. Tag "Hindus"

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસાનો મુદ્દો યુરોપમાં ગુંજ્યો, નેધરલેન્ડના નેતાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો મામલો હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડના રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરી હતી. તેમણે તેને ભયાનક ગણાવ્યું અને હિંસાનો વહેલો અંત લાવવાની હાકલ પણ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી વિરુદ્ધ જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ […]

હિન્દુઓ ઉપર ખોટા આરોપ લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે ગંભીર બાબત છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “હું રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાજર છું. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પને વિસ્તાર્યો છે.” પીએમ મોદીએ કહ્યું, આજે હિન્દુઓ પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ […]

જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરા હિન્દુઓ પુજા કરી શકશે, મસ્જિદ સમિતિને સુપ્રીમમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ સરકારે તેનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આને તાત્કાલિક […]

ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી

નવી દિલ્હી:  પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક […]

ભગવાન શ્રી રામજી માત્ર હિન્દુઓના નહીં પરંતુ સમગ્ર વિશ્વનાઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાયો છે. બીજી તરફ રામજી મંદિરને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંફ્રોન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શુભકામનાઓ પાઠવી છે. તેમજ કહ્યું કે, રામજી માત્ર હિન્દુઓ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે. તેમણે ભાઈચારાનો […]

ભગવાન શ્રી રામ તેમનામાં આસ્થા ધરાવતા મુસ્લિમ-ખ્રિસ્તીઓના પણ છેઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પાર્ટી માત્ર સત્તામાં રહેવા માટે રામના નામનો ઉપયોગ કરે છે, પરંતુ રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. ઉધમપુરમાં પેન્થર્સ પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે, “રામ માત્ર […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હિન્દુઓને બનાવાયા નિશાનઃ મકાનો ઉપર કરાયો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર લઘુમતી હિન્દુઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર પુંછ જિલ્લામાં મોડી રાતે કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુ પરિવારના મકાનો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમજ પીડિતોએ પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. જો કે, પથ્થર કોણે અને કેમ ફેંક્યાં હતા તે જાણી શકાયું ન હતું. જો […]

યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ […]

પાકિસ્તાનઃ હિન્દુઓએ મનદુઃખ ભૂલી પૂર પીડિતોને આશ્રય અને ભોજન પુરુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. હાલ પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક લોકો મૃત્યુ થયા છે. તેમજ હજારોની સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં છે. આવી દુઃખની સ્થિતિમાં કટ્ટરપંથીઓના અત્યાચારથી પીડિત હિન્દુઓ તમામ મનદુઃખ ભુલાવીને મુશ્કેલીમાં મુકાયેલા દેશવાસીઓની […]

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

લખનૌઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો તથા ઈતિહાસ સાથે છેડછાડ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ હિન્દુઓ સામે કેટલાક લોકો દુષપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા હિન્દુઓની લાગણી દુભાવાનો પ્રયાસ કરાયો હતો. બળાત્કાર જેવા બનાવને હિન્દુ દેવી-દેવતાઓ સાથે જોડીને વિવાદાસ્પદ ટીપ્પણી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code